અમદાવાદની AMTS-BRTS બસ સેવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી સીટી બસ સેવા આજથી પુનઃ શરૂ કરવામાં આવી છે કોરોના કેસમાં ઘટાડો થતાં હવે સામાન્ય જનજીવન સામાન્ય થઈ બન્યું છે.
હવે સામાન્ય જનજીવન સામાન્ય થઈ બન્યું
14 મહિનાથી બંધ સીટી બસ સેવા આજથી પુનઃ શરૂ
હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે
અંદાજીત ડોઢ વર્ષ બાદ ફરી AMTS-BRTS શરૂ થતા લોકો રાહત અનુભવી રહ્યા છે.સાથે રાજ્યમાં શાળા-કોલેજો અને ખાનગી-સરકારી કાર્યાલયો 100 ટકા સ્ટાફ સાથે શરૂ કરી દેવાયા છે.પરતું શૈક્ષણિક કાર્ય સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ઓનલાઈન જ આપવાનું રહેશે.
14 મહિનાથી બંધ સીટી બસ સેવા આજથી પુનઃ શરૂ
અંદાજીત દોઢ વર્ષ સુધી બંધ રહેલી એએમટીએસ-બીઆરટીએસની સેવાઓ હવે ફરી શરૂ થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.AMTS-BRTS બસ સેવા 50 ટકા ક્ષમતા ફરી શરૂ કરવામાં આવી છે કોરોના કાળમાં છેલ્લા કેટલાક મહિનાથી બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરતું હવે કેસ ઘટ્યા છે તેને પગલે સરકારે ફરી જનજીવન સામાન્ય બને તેથી ફરી AMTS-BRTS બસ સેવા શરૂ કરી છે.
કોરોનાના સંક્રમણને કારણે સીટી બસ સેવા બંધ હતી
મહત્વનું છે કે સીટી બસમાં રોજના આશરે 4 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા. 18 માર્ચના દિવસે AMTS અને BRTS બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. જે બાદ લોકોને રિક્ષામાં જવા માટે વધારે ભાડું પણ આપવું પડતું હતું.
એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી
સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થતા લોકોને રાહત મળશે. કોરોનાના કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે. ગુજરાતની એસ.ટી.બસમાં હવે મુસાફરી માટે વધુ છૂટ મળી છે. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે.
હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા બસ સેવાઓ ફરી શરૂ
મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો અને આ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા સોમવારથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.
સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. જો કે, આ બસ સેવા સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે જોકે અમદાવાદમાં કોરોના કર્ફ્યુ લાગુ હોવાથી સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા યથાવત રહેશે