મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ દેશનું પ્રથમ એવું સિટી બન્યું છે જ્યાં કોરોના વાયરસના લીધે 10000થી વધુ લોકોના મૃત્યુ થયા હોય. હાલના આંકડા પ્રમાણે મુંબઇમાં કોરોનાના લીધે 10016 જેટલા મૃત્યુ નોંધાયા છે.
કોરોનાના લીધે મુંબઇમાં કુલ 10000 થી વધુ મૃત્યુ
કોરોનાના લીધે થતાં મોતમાં સૌથી વધુ કેસ મુંબઈના
કુલ સંક્રમણના કેસોનો આંક પણ અઢી લાખને પાર
દેશમાં કોરોના વાયરસ નો પ્રકોપ ફાટી નીકળ્યા પછી મોદી સરકારના શ્રેણીબદ્ધ લોકડાઉન અને પછીની અનેક રણનીતિઓ અને કામગીરીઓ છતાં પણ હાલમાં દેશમાં કોરોનાના વ્યાપને નાથવામાં સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સ્વીકારવું પડ્યું કે દેશમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનના લીધે કોરોના ફેલાઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારું રાજ્ય
કોરોના વાયરસ ના લીધે સૌથી ખરાબ રીતે પ્રભાવિત થનારા રાજ્યોમાં હાલમાં મહારાષ્ટ્રનું નામ દેશના પ્રમુખ રાજ્યોમાં આવી રહ્યું છે. ખાલી તેની રાજધાની એવી મુંબઇ માં જ હાલમાં કોરોના ના લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 10000ના માર્કને પાર કરી ગઈ છે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પણ કોરોનાના વધી રહેલા સંકટથી ઘણી પરેશાન હતી, જેને લઈને અનલોક ની પ્રક્રિયા છતાં ઘણી એવી બાબતો હતી જેણે લઈને મહારાષ્ટ્રમાં છૂટ આપવામાં આવી નહોતી.
કોરોનાના લીધે મહારાષ્ટ્રમાં 40000 થી વધુ મોત
હાલમાં મહારાષ્ટ્ર માં એકલા રાજ્યમાં જ 16 લાખથી વધુ કુલ કેસોની પુષ્ટિ થઇ ચૂકી છે જેમાં કુલ મોતનો આંકડો 43015 જેટલો નોંધાયો છે. તેમાં એકલા મુંબઈ સિટીમાં જ મોતનો આંકડો 10000 ને પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ માં પહેલો કેસ 17 માર્ચના રોજ નોંધાયો હતો, ત્યારથી લઈને આજ સુધી ત્યાં કુલ અઢી લાખથી વધુ જેટલા કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે। જેમાં કુલ 10016 જેટલા મૃત્યુ નોંધાયા હતા.