Movement of People and Goods: બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પાઠવેલા પત્રમા આજે જણાવ્યું હતું કે એવી જાણકારી મળી છે કે વિભિન્ન જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક સ્તર પર લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે જે યોગ્ય નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા નિર્દેશ
હવેથી ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ અવરજવર પર ન લાગે પ્રતિબંધ
રાજ્યોના મુખ્ય સચિવોને કેન્દ્રીય ગૃહ સચિવનો પત્ર
દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રએ અનલોક લાગુ કર્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં હજી પણ લોકડાઉન છે. કેન્દ્ર સરકારે આ પરિસ્થિતિઓમાં આવશ્યક ચીજોની સપ્લાય અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાતચીત કરી છે સાથે જ લોકો અને માલસામાનની અવર જવર અવરોધિત ન થાય તે માટે પણ નિર્દેશ આપ્યા છે.
Union Home Secretary Ajay Bhalla's letter to all Chief Secys says that local level restrictions on inter and intra- state movement of persons & goods are impacting supply chains resulting in a disruption in economic activity & employment https://t.co/1uCu2N3Ft0
શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે એવા અહેવાલો આવ્યા છે કે વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક સ્તરે લોકોની મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 'અનલોક -3'ની માર્ગદર્શિકા તરફ ધ્યાન દોરતાં ભલ્લાએ કહ્યું કે આવા પ્રતિબંધોથી માલ અને સેવાઓની આંતરરાજ્ય અવર જવરમાં સમસ્યા સર્જાય છે અને તેથી સપ્લાય ચેન પર અસર પડે છે. જેના લીધે આર્થિક પ્રવૃત્તિ અથવા રોજગારમાં પણ અડચણ આવે છે.
લોકોની અવર જવર પર પતિબંધ તે ગૃહ મંત્રાલયની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન છે
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે 'અનલોક' માર્ગદર્શિકામાં સ્પષ્ટ કહ્યું છે કે આંતરરાજ્ય અને રાજ્યોની અંદરમાં વ્યક્તિઓ અથવા માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીં. દિશાનિર્દેશોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પડોશી દેશો સાથેના કરાર હેઠળ, સીમાપારના વેપાર માટે વ્યક્તિઓ અથવા માલની હેરફેર માટે પણ કોઈ અલગ પરવાનગી, મંજૂરી અથવા ઇ-પરમિટની જરૂર રહેશે નહીં. ગૃહ સચિવે કહ્યું કે આવા નિયંત્રણો આપત્તિ પ્રબંધન અધિનિયમ 2005 ની જોગવાઈઓ હેઠળ ગૃહ મંત્રાલયના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે.
તાળાબંધીની જાહેરાત 25 માર્ચે કરવામાં આવી હતી
રાજ્યોને લખેલા પત્રમાં વિનંતી છે કરવામાં આવી છે કે અવર જવર પ્રતિબંધ લાદવો ન જોઇએ અને 'અનલોક - 3' માર્ગદર્શિકાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવુ જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરી હતી. બાદમાં તેને 31મે સુધી લંબાવવામાં આવી હતી. આ પછી, દેશભરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને કચેરીઓ શરૂ થતાં 1 જૂનથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ.
ગૃહ મંત્રાલયે આ પત્રમાં લખ્યું છે કે દેશના ઘણા ભાગોથી આવી ફરિયાદો આવી રહી હતી કે આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ સિવાય સંબંધિત કર્મચારીઓને પણ રાજ્ય અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાસ જાહેર કરવામાં આવતા નથી.