કેન્દ્ર સરકારે વસતી નિયંત્રણ કાયદો લાવવાની તૈયારી શરુ કરી દીધી છે. 6 ઓગસ્ટે રાજ્યસભામાં પ્રાઈવેટ મેમ્બર બીલ પર ચર્ચા થવાની છે.
વસતી નિયંત્રણ કાયદાને લઈને મોટી ખબર
કેન્દ્ર સરકારે શરુ કરી દીધી તૈયારી
6 ઓગસ્ટે થશે આ મહત્વનું કામ
કેન્દ્ર સરકારે વસતી નિયંત્રણ કાયદો લાવવાની તૈયારી શરુ કરી દીધી છે. 6 ઓગસ્ટે રાજ્યસભામાં પ્રાઈવેટ મેમ્બર બીલ પર ચર્ચા થવાની છે.
ભાજપ સાંસદ રાકેશ સિંહાનું વસતી નિયંત્રણ અંગે પ્રાઈવેટ મેમ્બર બીલ રજૂ થઈ ચૂક્યું છે
ભાજપ સાંસદ રાકેશ સિંહાનું વસતી નિયંત્રણ અંગે પ્રાઈવેટ મેમ્બર બીલ રજૂ થઈ ચૂક્યું છે. 6 ઓગસ્ટના દિવસે રાકેશ સિંહના પ્રાઈવેટ મેમ્બર બીલ પર ચર્ચા થઈ શકે છે. આ અંગે રાજ્યસભા સભ્ય અનિલ અગ્રવાલનું પ્રાઈવેટ મેમ્બર બીલ પણ આપવામાં આવ્યું છે.
ભાજપા શાસિત રાજ્યોને નીતિ બનાવવાનો આદેશ
કાયદો બનાવતા પહેલા ભાજપની ટોચની નેતાગીરી આ મુદ્દે ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે. એક બાજુ ભાજપા શાસિત રાજ્યોએ આ મુદ્દે નીતિઓ રજૂ કરવાનું જણાવી દેવાયું છે. આ અનુસંધાનમાં યુપી સરકારે જનસંખ્યા નિયંત્રણ નીતિ રજૂ કરી છે. આસામ સરકારે પણ આ નીતિ ટૂંક સમયમાં લાગુ પાડવાની જાહેરાત કરી દીધી છે. લોકસભાના અડધા સાંસદો આ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર બીલ લાવી શકે છે.
રાજ્યની જનસંખ્યા નીતિ 2021-2030 નું ઉદ્ધાટન કરતા સીએમ યોગીએ કહ્યું કે જનસંખ્યા નીતિને લાગુ પાડતા મને આનંદ થઈ રીહ્યો છે. વધતી જતી વસતી વિકાસની રાહમાં રોડા બની શકે છે. જનસંખ્યા 2021-2030 માં દરેક સમૂદાયનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
યુપીમાં નવી જનસંખ્યા નીતિની જાહેરાત, આ લાભ મળશે
- નીતિમાં બે થી વધારે બાળકો હોય તેને સરકારી નોકરી અને યોજનાના લાભોથી વંચિત રહેવું પડશે.
- ટુ ચાઈલ્ડ પોલિસીનું પાલન ન કરનાર લોકોને ભથ્થું પણ નહીં મળે, નીતિમાં જોગવાઈ
- બે બાળકોની નીતિનું ઉલ્લંઘન કરનાર સ્થાનિક ચૂંટણી પણ નહીં લડી શકે
- બે બાળકોથી વધારે હશે તો સરકાર નોકરી માટે અરજી પણ નહીં કરી શકે.
- ચાર લોકોના રેશન કાર્ડ પર એન્ટ્રી સીમિત કરવાની જોગવાઈ
- નીતિમાં સરકારી નોકરોનું પ્રમોશન રોકવાની જોગવાઈ
- સરકારી યોજનાઓ અને ગ્રાન્ટ પણ વંચિત રહેવું પડશે
- જે લોકો બે બાળકોની નીતિ લાગુ પાડશે તેમને ઘણા બધા લાભો આપવાની ભલામણ કરાઈ
- જે સરકારી કર્મચારીઓ બે બાળકોની નીતિ લાગુ પાડશે તેમણે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ ત્રણ ટકાનો વધારો આપવાની જોગવાઈ કરાઈ છે.
- પ્લોટ કે જમીનની ખરીદી પર સબસિડી, યુટિલિટી બિલ પર છૂટ, ઈપીએફમાં ત્રણ ટકા વધારાની જોગવાઈ
- સિંગલ ચાઈલ્ડ પોલિસીનું પાલન કરનારને ચાર ટકાનું વધારાનું વેતન, તથા મફત હેલ્થ સુવિધા મળશે
- સિંગર ચાઈલ્ડ પોલિસીનું પાલન કરનાર લોકોને 20 વર્ષની ઉંમર સુધીમાં બાળકોને મફત શિક્ષણ મળશે.
- પ્રાઈવેટ સેક્ટરના જે પણ કર્મચારીઓ બે બાળકોની નીતિનું પાલન કરશે તેમને વીજળી, પાણી બીલ, હોમ લોન અને હાઉસ ટેક્સમાં છૂટ આપવાની પણ જોગવાઈ કરાઈ છે.