અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી. મૃત્યુ થયા બાદ નવજાત બાળક જ બદલી દેવાયું. મૃત બાળકીના નામે હોસ્પિટલે પરિવારને મૃત બાળક આપી દીધું
કચ્છની સિવિલ હોસ્પિટલ વિવાદોનું ઘર
અદાણી સંચાલિત હોસ્પિટલનો વધુ એક છબરડો
બાળક તો બદલાયું, પણ અન્યને મૃત બાળક સોંપ્યું
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સમયે ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પ્રધાન મંત્રી રાહત નિધિમાથીં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી ભૂજની સિવિલ હોસ્પિટલ, જી.કે. જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે.તેનું સંચાન અદાણીને સોંપાયા બાદ,છાસવારે આ હોસ્પિટલ વિવાદોમાં આવતી રહી છે.લાપરવાહી,બેદરકારી અને કેટલાય પ્રકારના ધાંધિયા કારણે આ હોસ્પિટલ ગાંધીનગર સુધી વગોવાયેલી છે. આ હોસ્પિટલ સાથે વધુ એક વિવાદ જોડાયો છે.જેમાં જીવતી બાળકીને મૃત બાળકમાં ખપાવી,બાળક બદલાઈને બીજાને આપવા જેવી શરમજનક ઘટના સામે આવી છે. અગાઉ પણ આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયાની ઘટનાથી રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને ત્રણ સભ્યોની ટીમ ગાંધીનગરથી તપાસ માટે ગઈ હતી. જો કે, આ કેસમાં 'ક્લીન ચીટ' મળી હતી.
કચ્છમાં જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મૃત્યુ થયા બાદ નવજાત બાળક જ બદલી દેવાયું. મૃત બાળકીના નામે હોસ્પિટલે પરિવારને મૃત બાળક આપી દીધું. હોસ્પિટલમાં બાળકીનુ મૃત્યુ થયું હોવાની પરિવારને જાણ કરાઇ હતી. અને મૃતદેહને મેડીકલ કાપડમાં પરિવારને સોંપાયો હતો . ત્યારે પરિવારે તપાસ કરતા બાળકી નહીં પરંતુ બાળક હોવાનું ખુલ્યું છે. બાળકી હાલ હોસ્પિટલમાં સ્વસ્થ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાળક બદલાઈ જવાની ઘટનામાં મૃત બાળકને લઇ અદાણી હોસ્પિટલ તંત્રએ ભૂલ સ્વીકારી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે બેદરકારી બદલ તપાસ કરાશે. અને મૃત બાળકને માતા-પિતાને સોંપાશે. બેદરકારો સામે કડક કાર્યવાહી થશે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા આવી ઘોર બેદરકારી કેમ?. જી.કે.જનરલ હોસ્પિટલના સ્ટાફ આવી ભૂલ કેવી રીતે કરી શકે?. જો બાળકના પરિવારને જાણ ન થઇ હોય તો પરિવારને બાળક મળત જ નહીં?. મૃત બાળકીના નામે મૃત બાળક પરિવારને આપી દીધું અને ખબર પણ ન પડી?. નવજાત બાળકી જીવત હોવા છતા પરિવારને મૃત બાળક આપી દીધું?.