શિયાળાની ઋતુમાં ગરમીનો થશે અહેસાસ બેવડી ઋતુનો અનુભવ માટે થઈ જાવ તૈયાર, સવારે અને મોડી રાત્રે ઠંડી બાદ બપોરે પડશે ગરમી હવામાન વિભાગે કરી મોટી આગાહી
રાજ્યમાં વધશે ગરમીનો પારો
બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે
લો પ્રેશર બાદ વરસાદની શક્યતા નહીવત
આગામી સમયમાં ગરમીનો પારો વધી શકે છે.. હાલ શિયાળાની ઋતુમાં વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થાયા છે,એવામાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે..
બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો રહેશે અહેસાસ
મહત્વનું છે કે હાલ રાજયમાં બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે.. શહેરમાં અનેક જગ્યાએ વહેલી સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિમાં પણ વધારો થશે તેવું જણાવાયું છે.. સાથે બે દિવસે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવું પણ વર્તાઈ રહ્યું છે.. હવામાન વિભાગે આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે તેવું માનવમાં આવી રહ્યું છે..
લો પ્રેશર બાદ પણ વરસાદની શક્યતા નહીવત
આ તરફ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, વરસાદને કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્ત્વની બેઠક યોજશે, જેમાં પાક નુકસાની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે.11 જિલ્લાના 48 તાલુકામાં કમોસમી 2 ઈંચથી વરસાદ પડ્યો હતો..જેને લઈને ખેડૂતોના શિયાળું પાકને નુકસાન થતા ખેડૂતોએ સહાયની માંગ કરી કરી છે..