ઝીરો બજેટ ખેતી માટે હાલ ભારત સરકાર અને ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામનનું કહેવું છે કે, જો ભારતમાં ઝીરો બજેટ ખેતી કરવામાં આવે તો ખેત ઉત્પાદન વધી શકે તેમ છે. આ ઝીરો બજેટ ખેતી માટે સૌ પ્રથમ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોનો ખાતરનો ખર્ચ બચી શકે તેમ છે.
જૈવિક ખાતર તમારા ખેતીના કુલ ખર્છમાં ઘટાડો કરશે
જો કે આ ખાતરની કેટલીક મર્યાદાઓ પણ છે
લાંબા ગાળે જૈવિક ખાતર તમારી જમીને રાખશે તંદુરસ્ત
જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મજીવાણુંઓ વસવાટ કરે છે જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા જીવાણુંઓ હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાનું અથવા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. કૃષિક્ષેત્રે શોધ-સંશોધનને અંતે જુદા જુદા પ્રકારના જૈવિક ખાતરોની ભલામણ કરવામાં આવી છે જેનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરીની 25 ટકા બચત કરી શકાય.
જૈવિક ખાતરની કેટલીક મર્યાદા
હાલમાં ગુજરાતમાં મળતા તમામ જૈવિક ખાતર લીગ્નાઇટ નામના ખનીજ કોલસાના 100 મેશના પાવડર આધારિત છે. આવા કેરિયરયુક્ત જૈવિક ખાતરની ઘણી મર્યાદાઓ છે. જેવીકે અવધિ છ મહિના અને જીવંત સૂક્ષ્મજીવાણુંની સંખ્યા ઓછી તથા ટપક પધ્ધતિ અને ગ્રીન હાઉસમાં વાપરી શકાય નહી.
આધુનિક ખેતીમાં જૈવિક ખાતરના ફાયદા
જૈવિક ખાતર પ્રતિ હેક્ટર 20-25 કિગ્રા નાઇટ્રોજન સ્થિર કરે છે
30-50 કિગ્રા ફોસ્ફરસ દ્રાવ્ય કરી શકે છે.
જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે.
વનસ્પતિ વૃધ્દ્રિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.
તેના વપરાશથી પાક ઉત્પાદન 10-15 ટકા વધે છે.
રાસાયણિક ખાતરોની આડસર ધટે છે.
વાતાવરણનું પ્રદુષણ ઘટાડે છે અને ખેતી ખર્ચમાં નોંધપાત્ર ધટાડો કરે છે.
જૈવિક ખાતર કિંમતમાં સસ્તા, બિન ઝેરી અને વપરાશમાં સરળ છે.
બાયોફર્ટીલાઇઝર એ રાસાયણિક ખાતરનું પૂરક છે.
જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય ત્યાં બાયોફર્ટીલાઇઝરનો પ્રતિભાવ સારો મળે છે.
આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે.
બાયોફર્ટીલાઝર એ નિદોર્ષ, કુદરતી સજીવ ખાતર છે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે.
બાયોફર્ટીલાઝર સજીવ ખાતર હોઇ તેના દરેક ગ્રામ/મિ.લિ. દીઠ આશરે 5-10 કરોડ જીવંત બેકટેરિયા આવેલા હોય છે