કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વધારો ક્યારે લાગુ થશે તે અંગેની બાબત હજુ સરકાર આગળ વિચારાધીન છે.
કેન્દ્ર સરકાર વધારી શકે છે પેટ્રોલ ડીઝલની કિંમતો
એક્સાઈઝ ડ્યુટીમાં વધી શકે છે 6 -6 રૂપિયા
કેન્દ્ર સરકાર ઘટેલા ક્રૂડના ભાવ જનતાને આપવા નથી માગતી
દેશની જનતાને અને ખાસ તો મધ્યમ વર્ગને ખૂબ જ જલ્દી એક એક વધુ મોટો આંચકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝ ડ્યુટી (પેટ્રોલ ડીઝલ એક્સાઇઝ ડ્યુટી) વધારવાની તૈયારી કરી રહી છે. સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 6 - 6 નો વધારો કરી શકે છે.
અગાઉ પર મોદી સરકાર કરી ચૂકી છે ધરખમ ભાવવધારો
અગાઉ સરકારે મે દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લિટર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી માં વધારો કરવાની જાહેરાત કરી હતી. નોંધપાત્ર છે કે મે 2014 માં, પેટ્રોલ પર કુલ લિટર દીઠ રૂ .9.48 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર હતો. તે પછી આજદિન સુધી પેટ્રોલ પરનો ટેક્સ વધીને 32.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે અને ડીઝલ પરનો ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લિટર છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત કરવેરામાં વધારો થવાને કારણે ગ્રાહકોને સસ્તા ક્રૂડનો લાભ મળી રહ્યો નથી, વૈશ્વિક બજારોમાં જ્યારે કે ક્રુડ ના ભાવ હાલ નીચા છે ત્યારે સતત ડયુટી વધારાને કારણે દેશના લોકોને આ સસ્તા ક્રુડ નો લાભ મળી શકતો નથી.
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, સરકાર કોરોનાને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ત્રીજો રાહત પેકેજ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં સરકારને વધુ ભંડોળની જરૂર છે. તેથી, સરકાર તેને પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી થી મેળવવા માંગે છે.
સૂત્રોએ અખબારને જણાવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 3-6 વધી શકે છે. પરંતુ સરકાર ઈચ્છે છે કે ટેક્સ વધ્યા પછી પેટ્રોલ-ડીઝલ મોંઘું ન થવું જોઈએ. તેથી જ નવી યોજના પર કામ ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કેક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા પછી પેટ્રોલ-ડીઝલ સસ્તું હોવું જોઈએ. હવે તે થશે નહીં.
હાલમાં વૈશ્વિક ક્રુડ ના ભાવ ઘટીને 40 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે અને સરકાર આ કિમતોની તફાવતનો લાભ લઈને ફંડ એકત્ર કરવા માંગે છે.
એક રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીમાં વધારાથી સરકારને કેટલો ફાયદો થાય છે?
પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં દરેક રૂપિયાના વધારાથી કેન્દ્ર સરકારના તિજોરીમાં વાર્ષિક રૂ. 13,000-14,000 કરોડનો વધારો થાય છે. તે જ સમયે, ક્રૂડના ભાવ ઘટાડવાથી સરકારને વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળે છે. હકીકતમાં, ભારત તેની જરૂરિયાતોનો લગભગ 82 ટકા હિસ્સાનું ક્રુડ ખરીદે છે. આવી સ્થિતિમાં ક્રુડ ના ભાવમાં ઘટાડો થવાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પણ ઘટી શકે છે.