8684 ગ્રામ પંચાયતમાં ઉત્તર ગુજરાત 62% સરેરાશ મતદાન તો સૌરાષ્ટ્ર કચ્છ 60% મતદાન થયું હોવાની પ્રાથમિક માહિતી
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
રાજ્યમાં 62 ટકા જેટલું સરેરાશ મતદાન
સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારોના ભાવી મતપેટીમાં બંધ
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને શાંતિપૂર્ણ રીત મતદાન પૂર્ણ થઈ ગયું છે. જેનું પરિણામ 21 ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને સભ્ય પદ માટે 53 હજાર 507 પદ માટે માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભવિષ્ટ મતપેટીમાં સીલ થઈ ગયું છે. 1167 ગ્રામ પંચાયતોને સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં કરાઈ હતી.
રાજ્યમાં કુલ 62 ટકા જેટલું સરેરાશ મતદાન
દક્ષિણ ગુજરાત 57% મતદાન
ઉત્તર ગુજરાત 62% મતદાન
સૌરાષ્ટ્ર કચ્છ 60% મતદાન
મધ્ય ગુજરાત 58% મતદાન
સૌરાષ્ટ્ર કચ્છ 60% મતદાન
રાજ્યભરમાં પંચાયની ચૂંટણીમાં 93 લાખ 69 હજાર 202 પુરુષ અને 88 લાખ 45 હજાર 811 મહિલાઓએ મતદાન કર્યું હતું. સમ્રગ ચૂંટણીમાં 2546 ચૂંટણી અધિકારી અને2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ નિભાવી હતી. સમ્રગ પંચાયતની ચૂંટણીમાં 51 હજાર 747 પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
રિણાવાડા ગામે ચૂંટણી અધિકારીએ કરી મોટી ભૂલ
પોરબંદર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું છે.પોરબંદરનાં રિણાવાડા ગામે ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઈડિંગ અધીકારીની ભૂલ થઇ હોવાના કારણે એક વોર્ડના બેલેટ પેપર અન્ય વોર્ડમાં ઇસ્યુ કર્યાનું ખુલ્યુ છે. આ ભૂલ ત્યારે સામે આવી જ્યારે સાંજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી હતી. એક જગ્યાના બદલે અન્ય જગ્યાનાં બેલેટ પેપર અપાયાની ભૂલ ધ્યાને આવતા આવતા ચૂંટણી અધિકારીઓ દોડતા થયા હતા.આ પરિણામે, ગ્રામજનોએ તમામ વોર્ડની ચૂંટણી ફરી યોજવાની કરી માંગ કરી છે.
રાજ્યમાં 5 જગ્યાએ મારામારીના બનાવ
રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું હતું ત્યારે કેટલાત સ્થળોએ મારામારીની ઘટના સામે આવી હતી.વડોદરાના સાવલીના કચરિયા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર વીરપુરમાં મતદારને માર મારવાનો મામલો સામે આવ્યો હતો.મતદારને પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આક્ષેપ તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. ત્યારે SP બલરામ મીણાએ ઘટના સ્થળે પહોંચીને કોન્સ્ટેબલનું વર્તન અયોગ્ય હોવાનું કહ્યું હતુ. નર્મદાનર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણીમાં રાજકીય પાર્ટીના કાર્યકરો બબાલ થઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતુ.તો જૂનાગઢમાં ગ્રામપંચાયતની ચૂંટણી લોહિયાળ બની હતી.માળીયા હાટીના પિખોર ગામે મતદાનમાં મારામારીમાં બે થી ત્રણ લોકોને થઇ ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને માળીયા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા.તો ભરૂચમાં ચૂંટણીની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.