આર્મીબેસ વર્કશોપનું સંચાલન હવે કાનગી પાસે કરાવામાં આવશે. ખર્ચો ઘટાડવા મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સેનાના નેતૃત્વ હેઠળજ ખાનગી કંપનીઓ કામ કરશે.
આર્મી બેસ વર્કશોપનું સંચાલન જશે ખાનગી કંપની પાસે
ખર્ચો ઘટાડવા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય
સેનાના નેતૃત્વ હેઠળ ખાનગી કંપનીઓ કામ કરશે
આર્મી બેસ વર્કશોપનું સંચાલન હવે આવનારા દિવસોમાં ખાનગી કંપનીઓને આપવામાં આવી શકે છે. આ મુદ્દે પ્રોસેસ ચાલુ છે અને દિલ્હીથી પહેલા વર્કશોપનું શરૂઆત થવાની છે. જોકે હાલતો વર્કશોપ સરકારના નિયંત્રણમાંજ છે. પરંતુ તેનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવશે. સાથેજ જરૂર પડશે તો તેઓ બહારના કાર્યો પણ કરી શકશે.
દેશમાં કુલ 8 આર્મી બેસ વર્કશોપ
એવું માનવામાં આવી રહ્યું છે કે ખર્ચો ઘટાડવા અને વર્કશોપની કાર્યકુશળતાને વધારવાના ઉદ્દેશથી ખાનગી કંપનીઓને સંચાલન આપવામાં આવી રહ્યું છે. આપણા દેશમાં સેનાના 8 બેસ વર્કશોપ છે. જે દિલ્હી, મેરઠ, આગરા, બેંગલુરુ, જબલપુર,કનકીનારા, પ્રયાગરાજ અને પુણામાં આવેલા છે.
ખાનગી કંપનીઓને સોપવામાં આવશે વર્કશોપ
આ વર્કશોપના આર્મીના વાહનો અને ઉપકરણોની સર્વિસ તેમજ રિપેર કામ કરવામાં આવે છે. માત્ર બેંગલોરમાં આવેલ વર્કશોપ સ્પેરપાર્ટસ બનાવાનું કામ કરે છે. જોકે હવે ખાનગી કંપનમીઓને આ વર્કશોપ સોંપવામાં આવશે અને સેનાના નેતૃ્ત્વ હેઠળજ ખાનગી કંપનીઓ દ્વારા આ વર્કશોપનું સંચાલન કરવામાં આવશે.
વર્કશોપને આગળ વધારવા લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રક્ષા મંત્રાલયે સંબદ્ધ સંસદીય સમિતિમાં સેના તરફથી એવું કહ્યું તે આ મુદ્દે ઉદ્યોગ જગતમાં વાત ચાલી રહી છે. વર્કશોપને ખાનગી કંપનીઓની મદદ લઈને આગળ લઈ જવામાં આવે તે મુદ્દે તેઓ યોજના બનાવી રહ્યા છે.