ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરે 12મી બેઠક યોજાઈ હતી જે સફળ સાબિત થઈ. બંને દેશની સેનાએ ગોગરા પેટ્રોલીંગ પોઈન્ટ પરથી પીછે હટ કરી છે.
ગોગરા પેટ્રોલિંગ પોઈન્ટ પર બંને દેશની સેનાએ પીછે હટ કરી
તણાવનો અંત લાવવા 12મી વખત બેઠક થઈ હતી
કમાન્ડર સ્તરે થયેલી 12મી બેઠક સફળ સાબિત થઈ
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તાણાવ ઓછા કરવા માટે કમાન્ડર સ્તરે બેઠક કરવામાં આવી હતી. જે બેઠક બાદ હવે બંને દેશોના સેના ગોગરા પેટ્રોલિંગ પ્લાઈંટ-17A પરથી પાછળ હટી ગઈ છે. આપને જણાવી દઈએ કે બંને દેશ વચ્ચે આ બેઠક 12મી વખત થઈ હતી. ત્યારબાદ બંને દેશની સેના પીછેહટ કરી રહી છે.
As per agreement reached during Corps Commander talks, both sides (India-China) ceased forward deployments in PP-17 in phased, coordinated & verified manner. Disengagement process was carried out over 4-5 Aug'21. Both sides are now in their respective permanent bases: Indian Army pic.twitter.com/ihNRWKbLNh
ભારતીય સેના દ્વારા આ મુદ્દે સામેથી માહિતી આપવામાં આવી છે કે બંને દેશની સેના દ્વારા પીછેહટ કરવામાં આવી છે. સેનાદ્વારા કહેવામાં આવ્યું કે 12મી વખત જે બેઠક થઈ હતી તે બેઠકમાં બંને દેશોએ ગોગા વિસ્તારમાંથી પોતાના સૈનિકો હટાવવા સહમતિ દાખવી.
તણાવનો ધીમે ધીમે અંત
બંને પક્ષો દ્વારા બોર્ડ઼ર પર જે ટેન્ટ બાંધવામાં આવ્યા હતા. તેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. સાથેજ બંને સેનાના જવાનો ત્યાથી હટી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી જે તણાવ ચાલી રહ્યો હતો તેનો ધીમે ધીમે હવે અંત આવી રહ્યો છે.
ગલવાન ઘાટીમાં થયેલી હિંસા બાદ તણાવ વધ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમા ભારતના 20 જવાનો શહિદ થયા હતા ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે હાલ કમાન્ડર સ્તરે વાતચીત થયા બાદ ધીરે ધીરે બંને દેશો વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે. તેનો અંત આવ્યો છે.