એવુ કહેવામાં આવે છે કે બોલ્યા વગર પણ માણસની આંખો ઘણુ બધુ કહી દે છે. આંખો કોઈ પણ વ્યક્તિના બધી લાગણીઓ ઉજાગર કરી દે છે. પરંતુ આ ક્ષણિક ઈમોશન્સ સિવાય આંખો કોઈ પણ વ્યક્તિના સ્થાયી સ્વભાવને પણ બતાવે છે.
બોલ્યા વગર માણસની આંખો પરથી જાણી શકશો તેનો મૂડ
આંખો કોઈ પણ વ્યક્તિના સ્થાયી સ્વભાવને પણ બતાવે છે
જાણો, આંખોની બનાવટ પરથી વ્યક્તિનુ નેચર
આંખો પરથી જાણી શકાય છે વ્યક્તિનો સ્વભાવ
હાસ્ય, ખુશી અને દુ:ખ આંખો દ્વારા ઉજાગર થઇ જાય છે. કોઈ પણ વ્યક્તિના આંખોની બનાવટ વાંચવી જો તમે શિખી જાઓ તો તમે તેના મનની અંદર ચાલતી વાતોને પણ જાણી શકો છો. જેનાથી તેના સ્વભાવની સાથે બીજી ઘણી જાણકારી મળે છે. આવો જાણીએ કે સામુદ્રીક શાસ્ત્ર મુજબ આંખોની બનાવટથી વ્યક્તિના નેચર અંગે કેવીરીતે સમજી શકાય છે.
જો આંખો મોટી અને બહારની તરફ નિકળેલી હોય
સામુદ્રીક શાસ્ત્ર મુજબ જે લોકોની આંખો મોટી અને બહાર તરફ નિકળેલી હોય છે. આવા જાતકો સૉફ્ટ હાર્ટેડ અથવા નરમ દિલના હોય છે. આવા લોકો સાથે વાતચીત કરવાથી તમને ખબર પડશે કે આવા લોકો ખૂબ નેક દિલના હોય છે. બીજા માટે તેમનો સ્વભાવ ઘણો ઉદાર હોય છે. જો આવા વ્યક્તિઓની આંખો ચમકદાર હોય તો આવા લોકો અંગે કહેવામાં આવે છે કે આવા વ્યક્તિઓ ખૂબ બુદ્ધીમાન હોય છે.
જો આંખો નાની હોય
જો કોઈ વ્યક્તિની આંખો નાની હોય છે તો આવા લોકો અંગે સામુદ્રીક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકો ઓછા બહાદૂર હોય છે. તેમના સ્વભાવમાં ગુસ્સો હંમેશા હોય છે. આવા લોકો નાની-નાની વાત પર ગુસ્સે થાય છે. ભવિષ્ય અંગે આ વધારે વિચારતા નથી. પરંતુ આવા લોકો વર્તમાનમાં જીવે છે.
જો આંખો ગોળ હોય
સામુદ્રીક શાસ્ત્રની માનીએ તો ગોળ આંખોવાળા વ્યક્તિને ફરવામાં વધારે રસ હોય છે. તેમને પ્રવાસમાં રહેવુ વધારે સારું લાગે છે. આવા લોકો નવી જગ્યા અંગે જાણવા માટે વધારે જીજ્ઞાસુ હોય છે.