ઉનાળો શરુ થતા જળસંકટ ઘેરુ બન્યુ છે. બનાસકાંઠા, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો સૌથી ઓછો જથ્થો
રાજ્યમાં તોળાતુ જળસંકટ
રાજ્યના જળાશયોમાં 53 ટકા પાણીનો જથ્થો
સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા ઓછું પાણી
રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યુ છે. એટલે કે હજી તો ઉનાળો આખો લેવાનો બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.
રાજ્યના વિવિધ ઝોનમાં પાણીનો જથ્થો
ઝોન
પાણીનો જથ્થો
ઉત્તર ગુજરાત
16%
કચ્છ
23%
સૌરાષ્ટ્ર
48%
મધ્ય ગુજરાત
69%
રાજ્યના વિવિધ ડેમોમાં પાણીની સ્થિતિ
ડેમની સંખ્યા
પાણીનો જથ્થો
189
70%થી ઓછો
36
10%થી ઓછો
12
70થી80%
2
90%વધુ
3
80-90%
બનાસકાંઠાના મુખ્ય ત્રણ ડેમ ખાલીખમ
બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના મુખ્ય ત્રણ ડેમ ખાલીખમ હોવાથી લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.દાંતીવાડા, સુપી ડેમ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ જોવા મળી રહ્યાં છે..હાલ દાંતીવાડામાં 5થી 7 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે..આ જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે...જ્યારે સીપુ ડેમ પણ ખાલીખમ જોવા મળી રહ્યો છે...સરકાર દ્વારા કરોડાના ખર્ચે નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં નાખવાની યોજના બનાવી હતી...પરંતુ નર્મદાનું પાણી આજસુધી પહોંચ્યું નથી...ખેડૂતોએ પાઇપલાઇન મારફતે ડેમમાં પાણી ઠાલવવા માંગ કરી છે...જો પણી નહીં મળે તો ઉનાળામાં પાણીનું સંકટ ઉભુ થશે...
સૌરાષ્ટ્રમાં જળાશયોમાં જળસંકટની ચિંતા !
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પાણીના સંગ્રહના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના જળાશયોમાં હાલ 52.55 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. પાણીનો જથ્થો છે તેને જોતાં સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાવાનાની શક્યતા જોવાઇ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાણીનો સંગ્રહ 40 ટકાથી ઓછો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ જિલ્લાના જળાશયોમાં સૌથી વધુ 76.34 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછો માત્ર 21.09 ટકા પાણીનો જથ્થો છે. જિલ્લામાં પાણીનો સંગ્રહ ઓછો છે તે જિલ્લામાં પાણી સમસ્યા માટે સરકારે અત્યારથી જ નક્કર પગલાં લેવા પડશે નહીંતો આગામી મહિનાઓમાં પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછુ પાણી
સૌથી વધુ વિકટ પરિસ્થિતિ કચ્છ અને ઉત્તરગુજરાતની થશે કારણ કે કચ્છ જિલ્લાના જળાશયોમાં માત્ર 17 ટકા પાણીનો જથ્થો સંગ્રહ છે. આ સાથે ઉત્તર ગુજરાત પર નજર કરીએ તો ઉત્તરગુજરાતમાં માત્ર 10 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે. ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના જળાશયોમાં સાબરકાંઠા જિલ્લાના જળાશયોની સ્થિતિ વિકટ છે. સાબરકાંઠામાં માત્ર 5.65 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. મહેસાણા જિલ્લાની સ્થિતિ થોડી સારી જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લાના જળાશયોમાં 14.79 ટકા પાણી જથ્થો હાલ છે.