દર મહિને પેન્શન મળતુ રહે તેના માટે ઘણા વિકલ્પ છે પરંતુ આ એક એવો વિકલ્પ છે કે જેમાં તમને પેન્શન તો મળશે પરંતુ સાથે તમે ઇનવેસ્ટ કરેલા પૈસા પણ પરત મળશે.
દર મહિને મળશે પેન્શન
પ્રધાનમંત્રી પેન્શન યોજનાનો મેળવો લાભ
વાર્ષિક રકમ પણ મળવા પાત્ર
વય વંદના યોજના
આ શાનદાર યોજનાનું નામ વય વંદના યોજના છે. આ કેન્દ્ર સરકારની એક સ્કીમ છે જેમાં દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઇસી દ્વારા પણ ઇનવેસ્ટ કરી શકો છો. આ યોજનામાં તમે 31 માર્ચ 2023 સુધી ઇનવેસ્ટ કરી શકો છો. પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં ઇનવેસ્ટ કરવા પર તમને દર વર્ષે 7.66 ટકા રિટર્ન મળશે. તેમાં તમે 10 વર્ષ સુધી ઇનવેસ્ટ કરી શકો છો.
કોણ કરી શકે છે ઇનવેસ્ટ
આ સ્કીમમાં ઇનવેસ્ટ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે આ સ્કીમ સિનીયર સિટીઝન્સ માટે છે. વધારે ઉંમરની કોઇ સીમા નથી. આ સ્કીમને એક સાથે પૈસા આપીને ખરીદી શકાય છે. પેન્શનર પાસે આ વિકલ્પ હશે કે તે પેન્શનની રકમ ચૂઝ કરે અથવા ખરીદીની કિંમત સિલેક્ટ કરે.
પેન્શન વિકલ્પ પણ છે
તેમાં તમે ઇચ્છો તો માસિક આધાર પર પેન્શન લઇ શકો છો પરંતુ તમારી પાસે ત્રણ મહિને કે 6 મહિને કે વાર્ષિક પેન્શન લેવાનો વિકલ્પ પણ રહેલો છે. જો તમે દર મહિને પેન્શન લેવાનું સિલેક્ટ નથી કરતા તો વર્ષે 7.66 ટકાનું વ્યાજ મળે છે. તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા ઇનવેસ્ટ કરી શકાય છે.
કેટલુ મળશે પેન્શન
આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછુ 1000 રૂપિયા દર મહિને કે પછી 12000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે. વધુમાં વધુ પેન્શનની લિમીટ માસિક 9250 રૂપિયા છે અને વાર્ષિક 1.11 લાખ રૂપિયા છે. દર મહિને 1000 રૂપિયા પેન્શન લેવા માટે તમારે 1.62 લાખ રૂપિયા અને વાર્ષિક પેન્શન 12000 રૂપિયા લેવા માટે 1.56 લાખ રૂપિયાનું ઇનવેસ્ટમેન્ટ કરવુ પડશે. દર મિહને 9250 રૂપિયા પેન્શન લેવા માટે તમારે 14.50 લાખ રૂપિયાનું ઇનવેસ્ટમેન્ટ કરવુ પડશે.
આ રીતે મળશે વ્યાજ પરત
જો પોલીસી ધારક 10 વર્ષથી વધારે જીવીત રહે છે તો તેને પેન્શન સતત મળતુ રહેશે તે વચ્ચે મૃત્યુ પામવા પર પર્ચેઝ પ્રાઇઝ નોમિનીને આપી દેવામાં આવશે.
કેવી રીતે કરશો ઇનવેસ્ટમેન્ટ
આ યોજનાનો તમે ઓનલાઇન કે ઓફલાઇન બંને રીતે આવેદન કરી શકો છો. આનલાઇન ઇનવેસ્ટ કરવા માટે https://eterm.licindia.in/onlinePlansIndex/pmvvymain.do પર જઇને પર્ચેઝ કરી શકાય છે.