સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ 7માં અયોધ્યાના મહાત્મ્યનો ઉલ્લેખ કરતા શ્લોક 18થી 25માં ભગવાન રામના જન્મસ્થાનનું ન ફક્ત મહત્વ દર્શાવાયું છે બલ્કે તેની આસપાસના પૌરાણિક સ્થળોનો ઉલ્લેખ કરતા એક એક ઈંચ માપ પણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે તે જ ગર્ભગૃહમાં પીએમ મોદી આજે ભૂમિ પૂજન કરશે.
મંદિરની આસપાસને એક એક ઈંચ માપ પણ નક્કી કરવામાં આવ્યું છે
શ્રી રામ જન્મભૂમિ મંદિર કેટલાય એલિમેન્ટ પર અદ્ભૂત અને અકલ્પનીય હશે. ભક્તો દ્વારા સિંહદ્વારથી લગભગ સવા 300 ફુટ દૂર ગર્ભગૃહમાં વિરાજમાન રામલલ્લાના દર્શન કરવામાં આવશે. પૂર્વમાં સ્થિત મુખ્ય સિંહદ્વાર ઉપરાંત પ્રાર્થના મંડપ દ્વારા કિર્તન મંડપ સાથે બીજી 2 દ્વાર છે. ગર્ભગૃહની પરિક્રમાનો માર્ગ પણ ખુલ્લો રહેશે.
પૂજન પ્રસંગે પીએમ મોદી પરિસરમાં નિરીક્ષણ દરમિયાન રામ મંદિરના કોરિડોર અને પરિસરની ભવ્યતાને લઈને મહત્વની સલાહ આપી શકે છે. સોમપુરા પરિવાર આ ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. હવે તેમની ડિઝાઈન સાથે ભવ્ય મંદિરનું નિર્માણ શરુ કરવામાં આવશે.રામમંદિરના મુખ્ય વાસ્તિકાર ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આર્કિટેક્ટ આશીષ સોમપુરા તથા નિખિલ સોમપુરા અમદાવાદથી અયોધ્યા પહોંચી ગયા છે. રામ મંદિર નાગર શૈલીમાં તૈયાર થશે.
આવું બનશે અયોધ્યાનું મંદિર
મૂળ ડિઝાઈનમાં ફેરફાર કર્યા બાદ હવે મંદિરમાં 318 સ્તંભ હશે. નવી ડિઝાઈનની રીતે મંદિરની પહોળાઈ 235 ફીટ અને લંબાઈ 360 ફીટ હશે.ઉંચાઈ 161 ફીટ રહેશે. મંદિરના ગર્ભગૃહમાં પહેલાં 3 શિખર સ્થાન રહેશે. પહેલાં ભજન કીર્તનનું સ્થાન, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામલલાના દર્શનની વ્યવસ્થા હશે. મંદિરના ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઈને અનુમતિ મળશે નહીં. મંદિરના અન્ય માળે રામ દરબાર હશે જ્યાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની સાથે હનુમાનજી પણ વિરાજમાન હશે.
રામ મંદિરની સૌથી પહેલી ડિઝાઈન 1985માં બનાવવામાં આવી હતી
એ વખતે મંદિરમાં આવનારા ભક્તોના અંદાઝા પરથી ડિઝાઈન તૈયાર થઈ હતી
1985 પછી 35 વર્ષ વીતી ચૂક્યા છે અને ભક્તોનો એસ્ટીમેટ પણ વધ્યો છે
નવા સમયને વિચારીને મંદિરને વધારે પહોળું કરવાનું નક્કી કરાયું છે
રામ મંદિર હવે બે નહી પરંતુ ત્રણ માળનું બનવાનું છે
રામ મંદિરની ઉંચાઈ 161 ફુટ અને પહોળાઈ 140 ફુટની હશે
મંદિરનો મૂળ દેખાવ મોટેભાગે એનો એ જ રહેવાનો છે
બે બાજુમાં અને એક આગળના ભાગે એમ કુલ ગુંબચની સંખ્યા 5ની હશે
1985ની ડિઝાઈનમાં રામ મંદિરને 3 ગુંબચ વાળું બનાવવાનું હતું
અગાઉની ડિઝાઈનમાં ઉંચાઈ 128 ફુટ હતી જે હવે 161 ફુટની કરાઈ છે
ત્રણ માળના રામ મંદિરમાં 318 સ્થંભ હશે જેના પર મંદિરનો મૂળ ભાગ હશે
રામ મંદિરના ત્રણ માળમાં દરેક માળ પર 106 સ્તંભ હશે
રામ મંદિર જમીનથી 17 ફુટની ઉંચાઈ પર હશે
રામ મંદિરના બીજા માળે રામ દરબાર હશે
69 એકર જમીન પર 5 ગુંબચો વાળું મંદિર દુનિયામાં ક્યાંય નથી
શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ડિઝાઈનમાં બદલાવ કરાયો છે
દેશ વિદેશમાં 131 મંદિરો ડિઝાઈન કર્યા છે
અયોધ્યાના મંદિરની ખાસ ડિઝાઈન ગુજરાતના પરિવાર દ્વારા તૈયાર કરાઈ રહી છે. તેઓની 15 પેઢીઓ આ જ કામ કરી રહી છે. તેમનું કામ છે મંદિરોની ડિઝાઈન તૈયાર કરવી. તેઓએ વિદેશોમાં પણ નામ કમાયું છે. સોમપુરા અને તેમના પરિવારે અનેક મોટા મંદિરો તૈયાર કર્યા છે. ગુજરાતનું સોમનાથ, અક્ષરધામ અને અંબાજી મંદિર પણ સામેલ છે. આ સિવાય દેશ વિદેશમાં 131 મંદિરો ડિઝાઈન કર્યા છે. ઉત્તરભારતમાં પ્રચલિત નગર શૈલી રામમંદિરના મોડલ વાસ્તુ માટે નગરશૈલીમાં તૈયાર કરાયું છે. ભારતમાં પ્રચલિત દક્ષિણ ભારતને બાદ કરતાં ઉત્તર ભારતમાં પ્રચલિત છે. મંદિરનો ગર્ભગૃહ અષ્ટકોણમાં છે. મંદિરની પરિક્રમા ગોળાકારમાં તૈયાર કરાશે.