આ પહેલી વાર નથી જ્યારે સોનું સુદ કોઈ નેતાને મળ્યો હોય. આ પહેલા પણ તે અનેક રાજકારણીઓને મળી ચૂક્યો છે. જોકે હવે ભાજપ સંગઠનના નેતા સાથેની કથિત મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે
અભિનેતા સોનુ અને બીએલ સંતોષ વચ્ચે કથિત મુલાકાત
ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મહાસચિવ છે બીએલ સંતોષ
કથિત મુલાકાત બાદ અટકળોનું બજાર ગરમ, સોનુ સુદ કેસરિયા કરશે ?
અભિનેતા સોનુ સૂદે દિલ્હીમાં બીજેપીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનુ સુદ દિલ્હીમાં બીએલ સંતોષના ઘરે તેમને મળ્યો હતો. જોકે હજી સુધી કોઈ સત્તાવાર વિગત સામે આવી નથી. આ પહેલી વાર નથી જ્યારે સોનું સુદ કોઈ નેતાને મળ્યો હોય. આ પહેલા પણ તે અનેક રાજકારણીઓને મળી ચૂક્યો છે.
સોનુ સુદ અને બીએલ સંતોષ વચ્ચે મુલાકાત થઈ હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. જેને લઈ હવે સોનુ સુદ કેસરિયા કરશે કે કેમ ? તે સવાલ પણ ઊભો થયો છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે સોનું સુદ કોઈ નેતાને મળ્યો હોય. આ પહેલા પણ તે અનેક રાજકારણીઓને મળી ચૂક્યો છે. જોકે ત્યારે પણ એવું જ લાગતું હતું લે સોનુ સુદ કોઇ પાર્ટી જોઇન કરી લેશે. પરંતુ તેવું કઈ જ બન્યું ન હતું.
સોનુ સૂદ-બીએલ સંતોષ વચ્ચે મુલાકાત ?
સૂત્રોનું માનીએ તો ફિલ્મ અભિનેતા અને કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા સોનુ સૂદે દિલ્હીમાં બીએલ સંતોષના ઘરે તેમની સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, બીએલ સંતોષ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મહાસચિવની જવાબદારી નિભાવે છે. જોકે સોનુ સુદ અને બીએલ સંતોષ વચ્ચેની કથિત મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે.
અગાઉ પણ અનેક નેતાઓને મળ્યા છે સોનુ સુદ
કોરોના સમયગાળા દરમ્યાન કોની મદદ કરીને ચર્ચામાં આવેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદ ગયા વર્ષે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. જોકે એ વખતે ચર્ચા હતી કે, સોનુ સુદ આમ આદમી પાર્ટીમાં જોડાશે. પરતું તે પણ માત્ર એક ચર્ચા જ નીકળી હતી. જોકે તેનાથી વિપરીત સોનુ સૂદની બહેન પંજાબ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ હતી. આ દરમ્યાન સોનુ સૂદ કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પણ મળ્યા હતા.
સોનુ સૂદની બહેનની ચૂંટણીમાં હાર થઈ હતી
સોનુ સૂદની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ હતી. તેમણે કોંગ્રેસની ટિકિટ પર મોગા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાનસોનુ સૂદ કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પણ મળ્યા હતા.
અગાઉ કેજરીવાલે સોનુ સૂદના કર્યા હતા વખાણ
સોનુ સૂદને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ દરમ્યાન કેજરીવાલે બાળકો માટે દેશનો માર્ગદર્શક કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સોનુ સૂદ અમારો બ્રાન્ડ એમ્બેસેડર હશે. સીએમ કેજરીવાલે પણ સોનુ સૂદના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સોનુ સૂદ એ કરી રહ્યો છે જે આજે ઘણી સરકારો કરી શકી નથી. જે પણ સોનુ સૂદ પાસે મદદ માંગે છે, ઓ તેને મદદ કરે છે