અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સત્તા કાયમી થયા બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી છે. કાબુલ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટ બંધ છે અને આ દરમ્યાન ભારતીય દૂતાવાસના સ્ટાફ અને દેશના અન્ય લોકોને લાવવા ગયેલુ એરફોર્સના વિમાને કાબુલથી ટેકઓફ કર્યુ છે. આજ રાત સુધીમાં દિલ્હીમાં પરત આવશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ
કાબુલથી ભારતીય વાયુસેનાના વિમાને કર્યુ ટેકઓફ
ભારતીય નાગરિકોને લઇ પરત ફરશે વિમાન
કાબુલથી ભારતીય વિમાને કર્યુ ટેક ઓફ
અફઘાનિસ્તાને પોતાનું હવાઈમથક બંધ નાગરિક વિમાનો માટે બંધ કર્યુ છે. પરંતુ મિલેટ્રીના વિમાનો દ્વારા હજી પણ લોકોને નિકાળવામાં આવ્યાં છે. જે હેઠળ ભારતીય વાયુસેનાનું વિમાન સોમવારે બપોરે કાબુલ પહોંચ્યુ હતું. ત્યારબાદ અત્યારે કાબુલથી ભારતીય વિમાને ટેકઓફ કર્યુ છે. આજ રાત સુધીમાં ભારતીય નાગરિકોને દિલ્હીમાં પરત લઈને આવશે. આ વિમાનમાં ભારતીય દુતાવાસના કર્મચારી અને તેમના પરિવારો પણ હશે. અમેરિકન સૈન્ય તરફથી ઘણાં દેશોના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવામાં મદદ કરવામાં આવી રહી છે.
કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં થયા એકત્રિત
કાબુલ પહોંચેલુ ભારતીય વાયુસેનાનું વિમાન પાકિસ્તાનના હવાઈમથકથી ગયુ નથી. પરંતુ ઈરાન થઈને કાબુલ પહોંચ્યુ છે. એક મહિના પહેલાં જ્યારે ભારતીય વાયુસેનાનું વિમાન કંધાર સ્થિત ભારતીય કોન્સ્યુલેટથી અધિકારીઓને લઈને આવી રહ્યું હતું ત્યારે પાકિસ્તાને ફ્લાઈટને પોતાના હવાઈમથકમાંથી જવાની મંજૂરી આપી નહોતી. કાબુલ એરપોર્ટ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને અફરાતરફરીનો માહોલ ફેલાયો છે. તમામ વિદેશી નાગરિકો સિવાય મોટી સંખ્યામાં એવા અફઘાન છે, જે પોતાના વતનને છોડીને નિકળવા ઈચ્છે છે. એરપોર્ટ પર ફાયરિંગ પણ થઈ અને તેમાં 5 લોકોના મોતના અહેવાલ છે.
અફઘાનિસ્તાનમાં ભારતીયો મદદની જોઈ રહ્યાં છે
સરકારી અધિકારીઓ મુજબ, અફઘાનિસ્તાનમાં એકલા રાજદૂતો અને તેના સુરક્ષાકર્મીઓની સંખ્યા 200ની નજીક છે. જે ત્યાંથી નિકળ્યાં બાદ મદદની રાહ જોઈ રહ્યાં છે. આ સિવાય અમુક ભારતીય નાગરિકો પણ છે. એક અધિકારીએ કહ્યું કે, સ્ટાફને દૂતાવાસમાંથી કાઢીને એરપોર્ટના પરિસર સુધી લાવવા પડકારજનક છે.