અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા દબદબા સામે રાષ્ટ્રપતિ અશરફ ગની ગમે ત્યારે રાજીનામુ આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. હેરાતની સરકારે પણ તાલિબાન સામે આત્મસમર્પણ કરી દીધું છે.
અફઘાનિસ્તાન સરકારે તાલિબાન સામે નમતુ મુક્યું
રાષ્ટ્રપતિ ગની રાજીનામુ આપે તેવી શક્યતા
હેરાતની સરકારે કર્યું આત્મસમર્પણ
અમેરિકાના સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારબાદથી ત્યા તાલિબાનનું વર્ચસ્વ જબરદસ્ત રીતે વધી રહ્યું છે. ગઈકાલે તેમણે હેરાત પ્રાતમાં કબ્જો મેળવી લીધો. ત્યાની સરકારે આત્મસમર્પણ કરી લીધું છે. જ્યારે ગવર્નર અને પોલીસ તાલીબાનની કસ્ટડીમાં છે. જેથી હવે એવી માહિતી સામે આવી છે, કે રાષ્ટ્રપતિ ગની પીછેહટ કરી શકે છે.
રાષ્ટ્રપતિ આપશે રાજીનામું
તાલિબાનના વધી રહેલા દબદબા વચ્ચે રાષ્ટ્રપતિ ગની તેમના પદ પરથી હવે ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. તાલીબાને અફઘાનિસ્તાની સરકાર પાસે ઘણી માગો કરી હતી. જે પૈકી તેમની સૌથી મોટી માગ એજ છે કે અશરફ ગની રાજીનામું આપે.
ટૂંક સમયમાં તાલિબાન કાબૂલ પહોચશે
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ હવે દિવસેને દિવસે વધી રહ્યું છે. ઘણા બધા મોટા શહેરો તેમણે પોતાના કબ્જે કરી લીધા છે. ટૂંક સમયમાં તેઓ કાબૂલ પર પણ કબ્જો મેળવી લેશે તેવી માહિતી સામે આવી છે. જોકે તે પહેલા શક્ય છે કે રાષ્ટ્રપતિ ગની સામેથીજ રાજીનામું આપી દેશે.
ઘણા રાજ્યોની સરકાર તાલિબાનની કસ્ટડીમાં
જે પણ રાજ્યોમાં તાલિબાને હાલ કબ્જો જમાવ્યો છે ત્યાની સરકાર તેમજ સરાકરી અધિકારીઓને તાલિબાને તેમની કસ્ટડીમાં લઈ લીધા છે. કંધાર, ગજની અને હેરાત દેના મોટા શહરેમાં તાલિબાનની પકડ જબરદસ્ત જમાઈ છે. અત્યાર સુધીમાં તાલિબાને કુલ 12 જેટલા પ્રાંત પોતાને કબ્જે કરી લીધા છે.
રાષ્ટ્રપતિના રાજીનામા પછી શું ?
ઉલ્લેખનીય છે કે વધતા જતા તાલિબાનના દબદબા વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગની ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. પરંતુ સવાલ એ થાય છે કે તેમના રાજીનામા બાદ અફઘાનિસ્તાનમાં શું પરિસ્થિતી સર્જાશે? સાથેજ ત્યારબાદ તાલિબાન દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે સવાલ પણ દરેકના મનમાં ઉઠી રહ્યો છે.