કોરોનાને હંફાવીને મહામારીનો અસ્ત કરવામાં દરેક ભારતીયે કેવું કેવું યોગદાન આપ્યું છે તેને લઈને એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ મહત્વની જાહેરાત કરી છે.
એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની મોટી જાહેરાત
ભારતમાં હવે કોરોનાની કોઈ લહેર નહીં આવે
દેશનો દરેક નાગરિક કોરોના વોરિયર-ગુલેરિયા
કોરોના મહામારીને અટકાવવા પાછળ લોકોનો મોટો હાથ છે. લોકો જ એટલા સાવચેત બન્યા કે આખરે કોરોનાએ જવું પડ્યું અને દરેક વ્યક્તિએ કંઈને કંઈ કામ કર્યું છે જેને લઈને હવે કેન્દ્રના ટોચના હેલ્થ એક્સપર્ટે જાહેર કર્યું છે.દિલ્હીની એમ્સ હોસ્પિટલના ચીફ અને કેન્દ્રના ટોચના હેલ્થ નિષ્ણાંત ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના મહામારીમાં દરેક ભારતીયોએ આપેલા યોગદાનને યાદ કરીને તેમના વખાણ કર્યાં છે. ગુલેરિયાનું માનવું છે કે મહામારીમાં ભારતના દરેક નાગરિકે કંઈને કંઈ યોગદાન આપીને મહામારીને હળવી પાડવાનું કામ કર્યું છે.
શું કર્યું દરેક ભારતીયે
ડોક્ટર ગુલેરિયાએ દેશના દરેક નાગરિકને કોરોના વોરિયર ગણાવ્યો. તેમણે કહ્યું કે દરેક નાગરિકે પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે. કોઈએ દવા આપી તો કોઈએ ઓક્સિજન. કોઈને ખાવાનું વહેંચ્યું તો કોઈએ સારવાર અપાવી. વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવીને યોગદાન આપ્યું તો કોઈએ પીપીઈ કીટ અને માસ્ક બનાવીને ફરજ અદા કરી. એક સમયે આપણી પાસે પીપીઈ કીટ અને એન-95 માસ્ક ન હોતા આજે આપણો તેનો સપ્લાય આપી રહ્યાં છીએ. આ તમામ કોરોના વોરિયર છે. ગુલેરિયાએ જણાવ્યું કે મહામારીમાં દેશના દરેક નાગરિકે પોતાનાથી થાય તેટલા પ્રયાસો કર્યાં છે. દરેક નાગરિકે પોતાનાથી થાય તેટલું કામ કર્યું છે. કંઈ નહીં તો લોકોએ માસ્ક પહેરીને પણ મોટું યોગદાન આપ્યું છે.
એક એક વ્યક્તિ ફ્રન્ટલાઈન વર્કર અને કોવિડ વોરિયર
આ મહામારીમાં ફક્ત હેલ્થ વર્કર જ નહીં પરંતુ દેશનો એક એક વ્યક્તિ ફ્રન્ટલાઈન વર્કર અને કોવિડ વોરિયર છે.ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે આજે આપણે ઘણી સારી સ્થિતિમાં છે. આ લહેર ગત લહેરની તુલનામાં ઘણી કન્ટ્રોલમાં રહી છે. હવે બીજી લહેર જેવી ઘાતક લહેર આવવાની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઘણી સારી પહેલ કરી છે. સમય પર જનતા કર્ફ્યુ, લોકડાઉન, કોવિડ વર્તન માટે જાગૃકતા જેવા કાર્યક્રમો લઈને સરકાર આવી અને આજે આપણે દુનિયાના ઘણા દેશો કરતા સારી સ્થિતિમાં છીએ.
બીજી લહેર જેવી ઘાતક લહેર આવવાની કોઈ સંભાવના નહીં
ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે બીજી લહેર જેવી ઘાતક લહેર આવવાની શક્યતા હવે નહીંવત છે. તેમણે કહ્યું કે મહામારીનો કન્ટ્રોલ હોસ્પિટલોમાં નહીં પરંતુ કમ્યુનિટી પર નિર્ભર છે. દેશની જનતા જેવો વ્યવહાર કરશે, તેવી અસર દેખાશે.