તામિળ ફિલ્મ સુંધરા ટ્રાવેલ્સની એક્ટ્રેસ રાધાએ એક પોલીસ સબ ઇન્સપેક્ટર પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.
તમિળ એક્ટ્રેસે લગાવ્યા આરોપ
યૌન ઉત્પીડનના છે આ આરોપ
પોલીસ ઇન્સ્પેક્ટર પર લગાવ્યા આરોપ
મહત્વનું છે કે રાધાનો પતિ જ તે પોલીસ સબ ઇન્સપેક્ટર છે અને આ ફરિયાદ બાદ તે ફરીથી લાઇમલાઇટમાં આવી છે. મિડીયા રિપોર્ટ્સનું જો માનીએ તો રાધાએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેના પતિએ તેની સાથે શારીરિક અને મૌખિક રૂપથી દુર્વ્યવહાર કર્યો છે.
હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. રાધાના કહેવા મુજબ, તેનો પતિ પુરુષ મિત્રો સાથે વાત કરવાનું પસંદ નહોતુ જેથી તે એક્ટ્રેસને હેરેસ કરતો હતો. તમને જણાવી દઇએ કે રાધાએ અગાઉ એક ફિલ્મ મેકર સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્ર પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાધા અને સબ ઇન્સપેક્ટર કેટલાક મહિના પહેલા જ સિક્રેટલી લગ્ન કર્યા હતા. ફિલ્મમેકર સાથે પણ છૂટાછેડા લીધાને થોડો જ સમય થયો છે. રાધાને પછીથી ખબર પડી કે તેનો પતિ પહેલેથી જ પરિણીત છે.
વિવાદો સાથે રાધાનો જૂનો સંબંધ છે. આ પહેલા પણ તેણે વર્ષ 2013 માં એક બિઝનેસમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે તે હેડલાઇન્સમાં હતી. રાધાએ કહ્યું કે તે તેની સાથે 6 વર્ષના સંબંધમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. જો કે, થોડા અઠવાડિયા પછી, રાધાએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જે બાદ 2016માં રાધાએ આરોપ લગાવ્યો કે તે એક નિર્માતા સાથે સંબંધમાં હતી અને તેથી જ એક ગેંગસ્ટરએ તેને ધમકી આપી હતી. જો કે પાછળથી આ કેસમાં પણ કંઈ બહાર આવ્યું નથી.