કામની શોધમાં ઠેર ઠેર ભટકનાર એક્ટરે આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે. તમિળ એક્ટરની લાશ એક ઑટો રિક્શામાં મળી આવી છે.
પૈસાની તંગીને કારણે થયુ મોત
રિક્શામાં મળી આવી એક્ટરની લાશ
તમિળ એક્ટરનું થયુ દેહાંત
લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જ્યા બનાવવાના પ્રયાસોમાં લાગેલા Virutchagakanthના આ રીતે જવાથી બધા જ લોકો સદમામાં છે. મિડીયા રિપોર્ટ્સનું માનીએ તો એક્ટરની મોત કેવી રીતે થઇ તે જાણી શકાયુ નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં હતા. માતા-પિતાના નિધન બાજ તે ઘણો પરેશાન હતો અને ફિલ્મોમાં કામ મળવાનુ પણ બંધ થઇ ગયુ હતુ.
રસ્તા પર સૂવા મજબૂર
આર્થિક તંગીના કારણે એક્ટરે રસ્તા પર સૂવાનો વારો આવ્યો હતો. એક્ટરની તસવીર જોઇને કહી શકાય કે તે માત્ર માનસિક રીતે જ નહી પરંતુ શારીરિક રીતે પણ કમજોર થઇ ગયા હતા.
2004માં મળી હતી પહેલી ફિલ્મ
તમને જણાવી દઇએ કે Virutchagakanthને વર્ષ 2004માં પહેલી ફિલ્મ મળી હતી. તે ફિલ્મનું નામ 'કાધલ' હતું. આ બાદ તેમને લાંબા સમય સુધી કોઇ ફિલ્મ નહોતી મળી અને કામ મેળવવા માટે આમ-તેમ ભટકી રહ્યાં હતા. એક્ટરના નિધન બાદ તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો દુઃખી થઇ રહ્યાં છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.