તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત મોદીએ એક્ટર્સની ફી ન આપવાના વિવાદ પર કહ્યું- જે પણ વાત કરવામાં આવી રહી છે કે અમે પૈસા નથી આપ્યા એવી કોઈ વાત નથી. હું કોઈની પણ મહેનતના પૈસા પોતાના ખીસ્સામાં રાખીને શું કરૂ?
તારક મહેતાના એક્ટર્સને શૉ છોડ્યા બાદ નથી મળ્યા પૈસા?
બાકી પૈસાને લઈને શૉના પ્રોડ્યુશરે તોડી ચુપ્યી
જાણો તેને લઈને શું કહ્યું
પોપ્યુલર સિટકોમ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોટાભાગે ચર્ચામાં રહે છે. સતત શોના સ્ટાર શૉ છોડીને જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે મેકર્સે શૉ છોડનાર એક્ટર્સને આખુ પેમેન્ટ નથી આપ્યું. શૈલેશ લોઢા પણ આ લિસ્ટમાં શામેલ છે. આ સમગ્ર વિવાદ પર હવે શોના પ્રોડ્યુસર આસિત મોદીનું રિએક્શન સામે આવ્યું છે.
ફીના મુદ્દાને લઈને શું કહ્યું આસિત મોદીએ?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર મીડિયા મીટિંગ વખતે આસિત મોજીએ શૉ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર જવાબ આપ્યો છે. એક્ટર્સની ફી ન આપવાના વિવાદ પર આસિત મોદીએ કહ્યું- "જે પણ વાતો કહેવામાં આવી રહી છે કે અમે પૈસા નથી આપ્યા એવું કંઈ નથી. હું કોઈની મહેનતના પૈસા પોતાના ખિસ્સામાં મુકીને શું કરૂ? ભગવાને મને ઘણુ બધુ આપ્યું છે. સૌથી વધારે તો મને પ્રેમ આપ્યો છે. આવું કંઈ નથી કે લોકોના પૈસા ન આપ્યું, મને ખુશી છે કે હું લોકોને હસાવું છું."
શૉ છોડતા સ્ટાર્સ પર કહી આ વાત
સ્ટારકાસ્ટના શો છોડીને જવા પર આસિત મોદીએ કહ્યું- હાલ તમે લોકોએ કહ્યું કે અમુક લોકો બદલી રહ્યા છે. જોવો 15 વર્ષની જર્ની છે...2008માં અમે શૉ શરૂ કર્યો હતો. મોટાભાગના આર્ટિસ્ટ્સ બધા એજ છે. અમુક લોકો બદલાયા છે. જેના કારણ અલગ અલગ છે. હું તે કારણોમાં જવા નથી માંગતો.
હું કહું છું કે હું બધાને જોડીને રાખું છું. અમારા શોમાં ક્યારેય પણ કોઈ પણ એ ટાઈપનો ઝગડો, કોન્ટ્રોવર્સી નથી થતી. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરૂ છું કે મારી જે ટીમ છે- 2008થી ભલે તે ચા આપનાર સ્પોટબોય હોય, મેકઅપ મેન હોય, ડ્રેસ મેન હોય- બધા એક પરિવાર છે. એક સાથે રહીને કામ કરે છે.
અમારા કારણે કોઈ શૉ છોડીને....
પ્રોડ્યુસરે કહ્યું- હાલ જો કોઈ કામ કરવા નથી માંગતું, કોઈ અથવા કોઈને સમસ્યા છે. કોઈની કોઈ હેલ્થ રિલેટેડ મુદ્દો છે. અથવા કોઈને પોતાના જીવનમાં કંઈક બીજુ કરવું છે તો અમે લોકો સમજીએ છીએ અને બીજુ કરી પણ શું શકીએ. અમારા કારણે કોઈ શો છોડીને જઈ રહ્યું છે. એવી વાત બિલકુલ નથી.
ક્યારે જોવા મળશે દયાબેન?
શૉમાં દયાબેનની વાપસી પર આસિત મોદીએ કહ્યું- દિશા વાકાણી આવે તો ખૂબ જ સારૂ છું. પરંતુ હવે તેમનું પારિવારિક જીવન છે. તે પોતાના પારિવારિક જીવનને પ્રાથમિકતાઓ આપી રહી છે. તેમનું આવવું થોડુ મુશ્કેલ લાગી રહ્યું છે.
પરંતુ હવે ટપ્પૂ આવી જાય તો દયાબેન પણ જલ્દી જ આવી જશે. દયા ભાભીના એજ ગરબા, ડાંડિયા, બધુ ગોકુલધામ સોસાયટીમાં શરૂ થઈ જશે. થોડો સમય રાહ જોવો. હવે વધારે સમય નહીં લાગે. દયા ભાભી જલ્દી આવી જશે.