અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તાના મામલામાં અભિનેતા અન્નુ કપૂરે નિવેદન આપ્યું છે.
અભિનેતા અન્નુ કપૂરે કહ્યું કે અભિનેત્રી તનુશ્રી દત્તાને આ મામલે મીડિયા સાથે વાત કરવાને બદલે પોલીસનો સંપર્ક કરવો જોઈએ. અભિનેતા અન્નુ કપૂરે જી 5 ડોક્યુ-ડ્રામા 'ખાર'ના એક જણાવ્યું હતું.
આ ઉપરાંત અભિનેતા અન્નુ કપૂરે જણાવ્યું કે તનુશ્રી પુરાવા લાવે પછી ગુનેગારને સજા થવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે આ મીડિયા ટ્રાયલ શા માટે? તનુશ્રી પોલીસ પાસે કેમ નથી જતા? આ મામલે તમારા ઇરાદા પર મને શંકા થાય છે.
ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા છેલ્લા ઘણા સમયથી પીઢ એક્ટર નાના પાટેકર પર 10 વર્ષ પહેલા પોતાની સાથે સેટ પર યૌન શોષણ કરવાના આરોપ મૂકી ચર્ચામાં આવી છે.
તનુશ્રીએ નાના પાટેકર પર આરોપ લગાવ્યા છે કે તેમણે 2008માં ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ ના સેટ પર તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યા હતા. બાદમાં એક્ટ્રેસને બોલિવુડમાંથી ઘણા લોકોનો સપોર્ટ મળ્યો હતો. તનુશ્રીનો આરોપ હતો કે નાનાએ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને ફિલ્મના એક ગીતમાં તેમના અને તનુશ્રી વચ્ચે ઇન્ટિમેટ સીન દર્શાવવાની માગણી કરી હતી.
જ્યારે હવે તનુશ્રીએ બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને સાઉથના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંત પર આરોપ લગાવ્યો છે કે તે બંને નાના પાટેકર સાથે સતત કામ કરી રહ્યા છે.
તેણે કહ્યુ હતુ કે અક્ષયે છેલ્લા 8 વર્ષમાં નાના સાથે 2 ફિલ્મો કરી છે. જ્યારે રજનીકાંતે પણ. જો આવા મોટા સ્ટાર્સ આ પ્રકારના લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખશે તો ઇન્ડસ્ટ્રીમાં કોઇપણ પ્રકારના આંદોલન વિરાધની આશા કેવી રીતે રાખી શકાય.
તનુશ્રીએ કહ્યુ હતુ કે એક તરફ આ સ્ટાર્સ પબ્લિકમાં જઇને વુમન એમ્પાવરમેન્ટની વાતો કરે છે પણ જ્યારે તમારી સાથે તમે બોલેલા શબ્દો માટે ઉભા રહેવાની તક હોય ત્યારે તમે કંઇ જ કરતા નથી.
તમે એવા વ્યકિત સાથે કામ કરી રહ્યા છો જે ન માત્ર એક મહિલાની છેડતી કરે છે પણ તેને ડરાવે અને ધમકાવે પણ છે. તનુશ્રીએ આગળ કહ્યુ કે ''હું અને મારો પરિવાર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ધમકીઓ અને પીડાનો સામનો કરી રહ્યા છીએ.
શું એક મોટા સ્ટાર તરીકે તમે એ માટે જવાબદાર નથી કે તમે આ પ્રકારના વ્યકિત સાથે કામ ન કરો? ખાસ કરીને ત્યારે જ્યારે આપણે એક નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ અને દેશમાં ઘણું બધું બની રહ્યુ છે.''