વડોદરામાં નવલખી મેદાનમાં થયેલા દુષ્કર્મ કેસમાં 25 મહિના લબાદ આરોપીઓને દોષીત જાહેર કરાયા છે. આ મામલે સરકારી વકીલ દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
નવલખી મેદાનમાં થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીઓ દોષીત જાહેર
આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ
પોલીસે આરોપીઓને શોધવા 200 ટીમ બનાવી હતી
28 નવેમ્બર 2019ના રોજ વડોદરાના નવલખી મેદાનમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી જેના કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામની હતી. આ મામલે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જેમણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમા કોર્ટ દ્વારા હવે બંન્ને આરોપીને દોષી જાહેર કરી દેવામાં આવ્યા છે.
ફાંસીની સજાની માગ
ટુંક સમયમાં હવે કોર્ટ દ્વારા બંન્ને આરોપીઓને સજા આપવામાં આવશે. કોર્ટે આરોપીઓને પોક્સોની કલમ 6/1 મુજબ દોષિત ઠેરવ્યા છે. આ મામલે સરકારી વકીલે આરોપીઓને ફાંસીની સજા આપવા માટે માગ કરી છે.
ઝાડીઓમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ
બનાવની જો વિગતવાર વાત કરીએ તો રાતે 8 વાગ્યે બંન્ને શખ્સો નવલખી મેદાનમાં આવ્યા હતા. જ્યા તેમણે સગીરાના મંગેતરને માર માર્યો હતો. બાદમાં તેઓ સગીરાને ઝાડીઓની પાછળ લઈ ગયા જ્યા તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે યુવાને મદદ માટે બૂમો પાડી હતી પરંતુ કોઈ હતું નહી જેથી મદદ ન મળી શકી.
સગીરાને જાનથી મારી નાખવાની ધમકી
યુવાન મદદ માટે રોડ તરફ ગયો જ્યા પોલીસ પેટ્રોલિંગની વાન ઉભી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે સગીરાની શોધખોળ હાથ ધરી તો સગીરા ઝાંડીઓમાંથી મળી આવી હતી. આરોપીઓએ પીડિતાને માર મારીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના કારણે સગીરા તે સમયે ઘણી ગભરાઈ હતી.
25 મહિના બાદ કેસનો ચુકાદો આવ્યો
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે 200 ટીમ બનાવી હતી અને આરોપીઓને શોધી કાઢ્યા હતા. જોકે હવે 25 મહીના બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે. જેમા કોર્ટ દ્વારા બંને આરોપીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા છે. સાથેજ સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.