રસ્તા વચ્ચે આડો કરી આરોપી બાતમીદારનું ઈસમોએ ઢીમ ઢાળી દીધું, મૃતક અને આરોપીઓ બંનેના ગુનાના ચોપડા ભારે
અમદાવાદના જુહાપુરામાં હત્યાનો બનાવ
પોલીસના બાતમીદારની કરપીણ હત્યા
અંગત જૂની અદાવત માં છરીના ઘા મારી પતાવી દીધો
શહેર પોલીસ ના સબ સલામત અને નાગરિકોની સુરક્ષા તેમના હાથમાં છે એવા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.ઘાટલોડિયા માં સિનિયર સીટીઝન દંપતીની હત્યા બાદ તે જ રાત્રે જુહાપુરા માં પોલીસના બાતમીદારની અંગત અદાવત માં હત્યા કરાઈ.પોલીસે ત્રણ આરોપી પકડ્યા પણ ત્રણ હજુય ફરાર છે.
શાહરુખ અમીરુદ્દીન શેખ.જે આમ તો પોલીસના બાતમીદાર તરીકે તો ઓળખાય જ છે પણ તેણે ભૂતકાળ માં અનેક ગુનાઓને પણ અંજામ આપ્યો છે.મંગળવારે રાત્રે તેના.મિત્રો સાથે તે જુહાપુરા બરફ ફેકટરી પાસેથી પસાર થતો હતો.ત્યારે કેટલાક ઇસમો આવ્યા અને અંગત અદાવતમાં બબાલ કરી તને છોડવાનો નથી કહીને હથિયારો સાથે તૂટી પડ્યા. આરોપીઓમાં કુલ છ લોકો હતા. અને શાહરુખની સાથે તેના મિત્રો પણ હતાં. જેઓ આ ઘટના જોતા જ ગભરાઈને ભાગવા જતા હતા પણ આરોપીઓએ તેઓને પણ માર માર્યો..આરોપીઓ ફરાર થઈ જતા શાહરુખ અને તેના મિત્રને હોસ્પિટલમાં ખસેડાયા. જતા શાહરુખ નું મોત નીપજ્યું.બીજીબાજુ વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો. અને આરોપીઓની તપાસ કરી ત્રણ લોકોની અટકાયત કરી.
પોલીસ કસ્ટડીમા જોવા મળતા આરોપી જીશાન અંસારી, સલીમ ઉર્ફે ડાન્સર અંસારી અને ફરદીન ઉર્ફે ભુરીયાએ શાહરૂખની હત્યા કરી.શાહરૂખ પોલીસનો બાતમીદાર હોવાથી આરોપીની બાતમી પોલીસને આપતો હતો. જેની અદાવત રાખીને હત્યા કરવામા આવી હોવાનુ તપાસમા ખુલ્યુ છે. મૃતક શાહરૂખ વિરૂધ્ધ પણ અનેક ગુના નોંધાયા છે. જયારે આરોપીઓનો પણ ગુનાહિત ઈતિહાસ છે. વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી.
આ કેસમાં હજુય ત્રણ લોકો ફરાર છે. જેની પોલીસે તપાસ શરૂ કરી ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજીતરફ હવે દિવાળીમાં પોલીસના પેટ્રોલિંગ, સૌની સુરક્ષાની જેવી અનેક વાતો તમામ ઘટનાઓ પરથી પોકળ સાબિત થઈ રહી છે તે કહેવું ખોટું નથી.