અમદાવાદ પાંજરાપોળ ખાતે થયેલાં BRTS અકસ્માતમાં બે સગા ભાઈઓનું મોત નિપજ્યું હતું. એક જ પરિવારનાં બે વ્હાલ સોયા દિકરાઓનું મોત નિપજાવનાર BRTSનાં બસ ડ્રાઈવરને ઘટનાનો અફસોસ તો છે પણ ગુનો કબૂલ નથી. જાણો વીટીવીએ જ્યારે તેને આ ઘટનાં વિશે પૂછ્યું તો તેણે શું કહ્યું...
મારી ભૂલ નથી બાઈક ચાલક સ્લીપ ખાઈ ગયો.
45 ની સ્પીડમાં જ ગાડી ચલાવીએ છીએ.
મને દુઃખ છે ઘટનાનું પણ મારો વાંક નથી.
ઘટનાનાં 12 કલાકમાં આરોપી પકડાયો હતો
BRTSનાં અકસ્માતમાં બે યુવકોનાં મોત નિપજતા BRTSનો ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિ પબ્લિકનાં મારથી બચવા બસ મુકી ભાગી ગયો હતો. પોલીસે 12 કલાકમાં આરોપી ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. જેને પગલે વીટીવીનાં રિપોર્ટરે તેને આ ઘટના અને તેમની સ્પીડ વિશે કરેલા અનેક સવાલોમાં તે મૌન રહ્યો હતો.
45 ની સ્પીડમાં જ ગાડી ચલાવીએ છીએ
પાંજરાપોળમાં BRTSની અડફેટે બે યુવાનનાં મોત પર BRTSનાં ડ્રાઈવરએ વીટીવી સાથે વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે મારી ભૂલ નથી બાઈક ચાલક સ્લીપ ખાઈ ગયો હતો. અમે તો 45ની સ્પીડમાં જ ગાડી ચલાવીએ છીએ. ચિરાગને અનેકવાર રિપોર્ટરે પૂછ્યું કે શું તમને આ ઘટનાનું દુઃખ છે. ત્યારે પરાણે અકડાઈને ચિરાગ પ્રજાપતિએ મને દુઃખ છે પણ ઘટનામાં પણ મારો વાંક નથીનું તેવું રટણ કર્યું હતું. ત્યાર બાદ પણ અનેક સવાલો ડ્રાઈવરને પુછવામાં આવ્યા હોવા છતાં ડ્રાઈવરે જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ એનાલિસિસથી અકસ્માતનું કારણ જાણી શકાશે
ડ્રાઈવરે ઘરપકડ બાદ સિગ્નલ બંધ થવામાં ફક્ત 2 સેકેન્ડ બાકી હતી પરંતુ પુર ઝડપે બસ ચલાવતો હોવાથી ડાબી બાજુથી આવતા બાઈક ચાલક રહેલ બે ભાઈઓ સાથે અકસ્માત સર્જાતા મોત થયા હોવાનું ડ્રાઇવરે કબૂલ્યું છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આઈટીએમએસમાં સ્પીડ નોંધાયી હશે. તેમજ એફએસએલ, ટાયરમાર્કસ અને જેપી સંસ્થાની ટીમ દ્વારા ઘટનાનું એનાલિસીસ કરાતા ઘટનામાં કોનો વાંક હતો અને કોનો નહોતો તે દૂધનું દૂધ તથા પાણીનું પાણી કરી આપશે.