મનોજ સોરઠિયાએ જાહેરાત કરી કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી સમાધાન લાવી શકશે.
સુરતમાં AAPની 27 બેઠક પર જીત બાદ મોટી જાહેરાત
મનોજ સોરઠિયા દ્વારા કરાઈ હેલ્પલાઈનની જાહેરાત
હેલ્પલાઈન દ્વારા લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરી શકશે
ગુજરાતની રાજનીતિમાં સુરતના માર્ગેથી પોતાનો પગ જમાવનારી આમ આદમી પાર્ટીએ 27 બેઠકની સાથે જનતા સાથે સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં નોંધપાત્ર જીતની સાથે મનોજ સોરઠિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ ઈટાલિયાની સાથે સુરતમાં મનોજ સોરઠિયાને પણ જીતનું કારણ માનવામાં આવે છે. પરિણામની મોડી સાંજ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. જે બાદ જાહેર સભામાં મનોજ સોરઠિયા દ્વારા એક જાહેરાત પણ કરી દેવાઈ છે.
મનોજ સોરઠિયાએ જાહેરાત કરી કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી સમાધાન લાવી શકશે. SMCને લગતી ફરિયાદ કરવા માટે લોકોએ હેલ્પલાઈનનું માધ્યમ ઉપયોગ કરવું પડશે. મનોજે કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષમાં ભ્રષ્ટાચારને આંખ આડા કાન કરતી હતી. જ્યારે સત્તાધારી ભાજપ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો. તો સાથે દાવો પણ કર્યો કે, આમ આદમી ન તો ભ્રષ્ટાચાર કરશે ન કરવા દેશે.
સુરત મનપા ચૂંટણી પ્રક્રિયા બાદ લોકોની શું છે અપેક્ષા
જનતાએ પોતાના મત આપી આમ આદમી પાર્ટીના જે ઉમેદવારને જીતાડ્યા છે. તેમની પાસેથી લોકોએ અપેક્ષા પણ રાખી છે. વેરાનું ભારણ ઓછું કરવા માટે માગણી કરાઈ છે. મેડિકલ સુવિધા ઉભી કરવા પણ લોકોની અપેક્ષા છે. લોકો શિક્ષણ ક્ષેત્રે પણ સુવિધા વધારવા માગણી કરી રહ્યા છે. મજબૂત વિપક્ષ હોવાથી કામ થવાની લોકોને આશા છે.