હાલમાં જ પાંજરાપોળ ખાતે થયેલાં અકસ્માતમાં થયેલાં 2 લોકોના મોતે શહેરીજનોને હચમચાવી નાંખ્યાં હતાં. જેને લઈને BRTSનાં ડ્રાઈવરોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની સરકારે ગંભીર નોંધ લીધી છે. ત્યારે BRTSનાં અમુક કોરિડોરને અકસ્માત તરીકે અલગ તારવી લેવાયાં છે. જાણો કયા કોરિડોર જીવલેણ છે અને કેમ?
ગૃહ અને મહેસુલ પ્રધાનની હાજરીમાં અકસ્માત નિવારણ માટે બેઠક
4 કોરિડોર જીવલેણ છે તો 25 બ્લેક સ્પોર્ટ શોધાયાં
ગૃહ અને મહેસુલ પ્રધાનની હાજરીમાં અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઈ
પ્રદિપસિંહે BRTS નાં કોરિડોકની મુલાકાત લીધી
પાંજરાપોળની ઘટનાને પગલે રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પાંજરાપોળ સહિતનાં કેટલાક BRTS કોરિડોરની મુલાકાત લીધી હતી. જોકે ખુદ તંત્ર દ્વારા BRTS કોરિડોરનાં અમુક કોરિડોરને અકસ્માત ઝોન તરીકે અલગ તારવી લેવાયાં છે.
ગૃહ અને મહેસુલ પ્રધાનની હાજરીમાં અકસ્માત નિવારણ માટે બેઠક
રાજ્યનાં ગૃહ અને મહેસૂલ પ્રધાનની હાજરીમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ભાજપનાં ધારાસભ્યો અને કોર્પોરેટરોની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં શહેરમાં BRTS બસને કાબૂમાં લેવાં અને અકસ્માત નિવારવા કમિટીની રચના કરવા. તેમજ ૧પ દિવસે ટ્રાફિકની સમસ્યા પર પરામર્શ કરવા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા.
આ ચાર કોરિડોર છે જીવલેણ
છેલ્લા ૧૦ મહિનામાં BRTS કોરિડોરમાં 9વ્યકિતનાં BRTS બસ નીચે કચડાઇને મોત થયાં છે. આમ તો છેલ્લાં ૧૦ વર્ષમાં BRTS બસ નીચે પ૩થી વધુનાં મોત નીપજ્યાં છે. આમ, BRTS બસ લોકો માટે યમદૂત બની રહી છે. બીજી તરફ BRTSનાં જાણકાર સૂત્રો કહે છે કે, સીટીએમથી નારોલ BRTS કોરિડોર, ઝુંડાલથી સાબરમતી પાવર હાઉસ BRTS કોરિડોર, મણિનગર ચાર રસ્તાથી ભૈરવનાથ BRTS કોરિડોર અનેે ચંદ્રનગરથી નહેરુનગર BRTS કોરિડોર ખાસ અકસ્માત ઝોન છે.
બ્લેક સ્પોર્ટ છે આ 25 જગ્યાઓ
આ ઉપરાંત સોલા ક્રોસ રોડ BRTS સ્ટેશનના આગળનાં અને પાછળનાં ચાર રસ્તા વગેરે મળીને કુલ રપ બ્લેક સ્પોટ છે. આ બધા અકસ્માત ઝોન કે બ્લેક સ્પોટ લોકો માટે ખાસ ભયજનક છે. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે આસ્ટોડિયા-સારંગપુરને સાંકળતા BRTS કોરિડોરમાં તંત્ર અકસ્માત નિવારવા માટે ખાસ પગલાં ભરતું નથી. તેમ છતાં અહીંયાં અકસ્માતનું પ્રમાણ ઓછું છે. જ્યારે અન્ય વિસ્તારમાં CCTV કેમેરા સહિતની સુવિધા અને અન્ય ઉપાય હોવા છતાં ત્યાં અકસ્માતનું પ્રમાણ વધુ છે.