બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જગન્નાથ મંદિરના એ 3 દરવાજા, જે છેલ્લાં ઘણા સમયથી હતા બંધ, હવે ખુલ્યાં, જાણો રસપ્રદ કહાની
Last Updated: 01:13 PM, 13 June 2024
Jagannath Puri Temple Gates : પુરીના જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા તેના ઢંઢેરામાં મંદિરના તમામ દરવાજા ખોલવાનું વચન આપ્યું હતું અને હવે નવી ચૂંટાયેલી સરકારે ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. હવે મંદિરમાં જતા ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. જોકે નવી સરકાર દ્વારા ચારેય દરવાજા ખોલ્યા બાદ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, રહસ્યોથી ભરેલા જગન્નાથ મંદિરના આ દરવાજા પહેલા કેમ બંધ રાખવામાં આવ્યા હતા અને આ દરવાજા ખુલ્યા બાદ શું ફેરફાર થશે ?
ADVERTISEMENT
પુરીના જગન્નાથ મંદિરમાં કુલ કેટલા દરવાજા ?
ADVERTISEMENT
જગન્નાથ મંદિરમાં ચાર પ્રવેશદ્વાર છે, જેમાં સિંહ દ્વાર, અશ્વ દ્વાર, વ્યાઘ્ર દ્વાર અને હસ્તી દ્વાર છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, જગન્નાથ મંદિરના આ બધા દરવાજા હંમેશા બંધ નથી રહેતા. આ દરવાજા થોડા વર્ષો પહેલા જ બંધ હતા અને હવે ફરીથી ખોલવામાં આવ્યા છે. હાલમાં ચાર દરવાજામાંથી ત્રણ દરવાજા બંધ છે અને એક દરવાજો ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે ખુલ્લો છે. જે દરવાજામાંથી ભક્તો પસાર થતા હતા તેનું નામ 'સિંહ દ્વાર' છે.
આવો જાણીએ 3 દરવાજા ક્યારે બંધ થયા ?
વિગતો મુજબ વર્ષ 2019માં જ્યારે કોરોના મહામારી હતી ત્યારે સાવચેતીના ભાગરૂપે જગન્નાથ મંદિરના ત્રણ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. આ ત્રણ દરવાજા બંધ કરવાનો હેતુ ભીડને નિયંત્રિત કરવાનો અને સામાજિક અંતર જાળવવાનો હતો. આવી સ્થિતિમાં ચારેય દરવાજામાંથી પ્રવેશ એક ગેટ સુધી મર્યાદિત હતો જેથી ભીડને નિયંત્રિત કરી શકાય અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય.
ચૂંટણી પહેલા ભાજપે વચન આપ્યું અને હવે.....
આ દરવાજા 2019 થી બંધ હતા અને ભાજપે ચૂંટણી પહેલા આ દરવાજા ખોલવાનું વચન આપ્યું હતું. જે બાદમાં હવે આ તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ પાંચ વર્ષ દરમિયાન આ દરવાજા ખોલવા માટે ઘણી વખત માંગ કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે, માત્ર એક જ ગેટથી પ્રવેશના કારણે દર્શન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.
વધુ વાંચો : ભક્તો માટે ગુડ ન્યુઝ: આજથી ભગવાન જગન્નાથના ચારેય દ્વાર ખુલ્લાં, એ પણ 5 વર્ષ બાદ
આવો જાણીએ શું છે આ 4 દરવાજાની વાર્તા ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.