જે મહિલાઓએ ટીકરી ખાતે આંદોલનમાં ભાગ લીધો છે, તેમાંની મોટાભાગની ખેડૂત પરિવારોથી છે અને આ લોકોના પરિવારો પાસે ખૂબ જ ઓછી જમીન છે. કૃષિ કાયદાઓ પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે ઉભો થયેલો વિવાદ હાલમાં કોઈ ઉકેલ પામે તેવી કોઈ શક્યતા નજીકના ભવિષ્યમાં દેખાઈ રહી નથી અને આ બધાની વચ્ચે સિંઘુ ટીકરી બોર્ડર પર ખેડૂતોની સાથે હવે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામા સામેલ થયા છે.
કૃષિ કાયદાઓ વિરુદ્ધ કર્યું પ્રદર્શન
મોટાભાગની મહિલાઓ નાના ખેડૂત પરિવારોથી આવે છે
કૃષિ કાયદાઓ વિરુદ્ધનું આંદોલન સતત 22માં દિવસે પ્રવેશ્યું
આ આંદોલનમા પંજાબના તે પરિવારો પણ હવે સામેલ થયા છે જેમના પરિવારોમાં કોઈ ને કોઈ ખેડૂતે આત્મહત્યા કરી હોય. કહેવામાં આવ્યું છે કે છેલ્લા અમુક વર્ષોમાં વધી રહેલા દેવાના ભારના લીધે આત્મહત્યા કરનારા ઘણા ખેડૂતો ની માતા અને વિધવા મહિલાઓ પણ આ પ્રદર્શનનો હિસ્સો બની હતી.
પંજાબથી આવી હતી 2000 મહિલાઓ પ્રદર્શન માટે
જાણકારી પ્રમાણે પંજાબના માલવા ક્ષેત્રથી મંગળવારે લગભગ 2 હજાર મહિલાઓં 17 બસ અને 10 ટ્રેકટર ટ્રોલીઓમાં સવાર થઇને નીકળી હતી અને તેમને ટીકરી બોર્ડર સુધી લઇ જવાનું કાયમ ભારતીય કિસાન યુનિયન (ઉગ્રહણ) એ કર્યું હતું. હાલમાં આ પ્રદર્શનકારી મહિલાઓને ટીકરી બોર્ડરથી 7 કિમિ દૂર ઉગ્રહણના કેમ્પમાં જ રાખવામાં આવી છે અને ત્યાં તેમણે મૃત્યુ પામેલા ખેડૂત પરિજનોની ફોટો દેખાડીને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો.
જે મહિલાઓએ ટીકરી આંદોલનમાં ભાગ લીધો હતો તેમાંથી મોટાભાગના નાના ખેડૂત પરિવાર માંથી આવે છે કે જ્યા તેમની આર્થિક સ્થિતિ બહુ સારી નથી અને જમીન પણ ખૂબ જ ઓછી છે. અહીં અમુક મહિલાઓ એવી છે જેમની પાસે માત્ર 1.5 એકર કે 3 એકર જમીન હતી, અને જેમના પતિ વહેલા ગુજરી ગયા હતા, આ મહિલાઓના સંતાનો નાના હતા અને તેમની સાથે જ તેમના પરિવારના અમુક સભ્યો પણ રહેતા હતા.
મોટાભાગની મહિલાઓ ઓછી આવક વાળા ખેડૂત પરિવારોથી
આ સભ્યોમાં પતિની નાની બહેનને લગ્ન કરાવવાનો ખર્ચ પણ આ મહિલા પર આવ્યો, જેને લઈને આ જમીનમાંથી તેમની આવક પૂરી પડતી નહોતી, પરંતુ હવે તેઓ કહે છે કે જો તેમના સંતાનો અભ્યાસ કરીને 18 વર્ષની ઉપર થઈ જશે તો પછી તેઓ જ ખેતીનું કામ સંભાળી લેશે. તેમનું કહેવું છે કે આ કૃષિ કાયદાઓ નો વિરોધ તેઓ એટલે કરી રહ્યા છે કેમ કે ખેતી જ તેમના જીવનનો આધાર છે અને આ આધાર તેઓ ગુમાવવા માંગતા નથી.