ઓનલાઈન વર્ગોના કારણે બાળકોને થતી માનસિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં 12 વર્ષના છોકરાએ સુપ્રીમ કોર્ટમાં શાળા ખોલાવવા માટે અપીલ કરી હતી.
કોર્ટે બાળકને કહ્યું અભ્યાસ પર ધ્યાન આપો
દેશમાં હજી કોરોના ખતરો સમાપ્ત થયો નથી
કોર્ટે અરજદારને અરજી પાછી ખેંચવા નિર્દેષ આપ્યાં
કોર્ટે બાળકને કહ્યું અભ્યાસ પર ધ્યાન આપો
ઓનલાઈન વર્ગોના કારણે બાળકોને થતી માનસિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં 12 વર્ષના છોકરાએ સુપ્રીમ કોર્ટમાં શાળા ખોલવા માટે અપીલ કરી હતી. બાળકને સૂચના આપતાં કોર્ટે કહ્યું કે, તેને તેના અભ્યાસ પર ધ્યાન આપવાની જરૂર છે. તેણે આવી અરજી દાખલ કરવાની જાળમાં ન આવવું જોઈએ. કોર્ટે શાળા ખોલવા અંગે કોઈ આદેશ આપવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કેસ અત્યારે ત્રીજી લહેરનો ખતરો ઉભો થઈ રહ્યો છે.
કોર્ટે અરજદારને અરજી પાછી ખેંચવા નિર્દેષ કર્યો
કોર્ટના નિર્દેશ બાદ અરજદારે અરજી પાછી ખેંચી લીધી. બાળકે કહ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ અસરકારક નથી. બાળકો તણાવનો શિકાર બની રહ્યા છે. તેમણે પોતાની અરજીમાં મધ્યાહન ભોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની અપીલ હતી કે કોર્ટે ભૌતિક વર્ગો શરૂ કરવા માટે આદેશ જારી કરવો જોઈએ જેથી બાળકો ઓનલાઈન સિસ્ટમથી છુટકારો મેળવી શકે. કોરોનાને કારણે મોટાભાગની શાળાઓ દોઢ વર્ષથી વધુ સમયથી બંધ છે. આવી સ્થિતિમાં બાળકોનું શિક્ષણ ઓનલાઈન થઈ રહ્યું છે.
કોર્ટે કહ્યું દેશમાં હજી કોરોના ખતરો સમાપ્ત થયો નથી
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે બાળકને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી. કોરોનાનો ખતરો સમાપ્ત થયો નથી. જ્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે, બીજી તરફ રાજ્ય સરકારો શાળાઓ ખોલી રહી છે. બેન્ચે વધુમાં કહ્યું કે, શું આપણે કહી શકીએ કે કેરળના હાલાત મહારાષ્ટ્ર જેવું કે દિલ્હીના હાલાત પશ્ચિમ બંગાળ જેવા છે. આવી સ્થિતિમાં કઈ શાળાઓ ખોલી શકાય? બેંચે અરજદાર બાળકના વકીલને કહ્યું- અમે નથી કહેતા કે અરજી કેટલી ખોટી છે. અથવા પ્રસિદ્ધિ મેળવવા માટે લાદવામાં આવી છે, પરંતુ બાળકોએ આવી જાળમાં ન આવવું જોઈએ.
બીજા દેશોમાં શાળા ખોલ્યા બાદ કોરોનાના વધી રહ્યાં છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કોરોનાની બીજી લહેરનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે હમણાં જ એક ભયાનક ભયમાંથી બહાર આવ્યા છીએ. ત્રીજી લહેર આવે તેવી ધારણા છે. અમને ખબર પણ નથી કે તેની કેટલી અસર થશે. સરકારો પોતાના શિક્ષણ મુજબ બાળકોના શિક્ષણ માટે માર્ગદર્શિકા બહાર પાડી રહી છે. કોર્ટે કહ્યુ કે બીજા દેશોમાં સ્કુલ ખોલ્યા બાદ બાળકોમાં કોરોનાના મામલાઓ વધી રહ્યાં છે. હજી અમારી પાસે ડેટા કે વૈજ્ઞાનિક જાણકારી ઉપલ્બધ નથી. એવા માં શાળાઓ ખોલવા માટે કોઈ આદેશ જાહેર કરી શકાય તેમ નથી બાળકોને હજી સુધી વેક્સિન પણ લીધી નથી
કોર્ટે કહ્યું કે હજી સુધી બાળકોને રસી આપવાની નીતિ સ્પષ્ટ નથી
તેમણે કહ્યું કે સરકાર બાળકોની સલામતી માટે તબક્કાવાર શાળાઓ ખોલી રહી છે. હાલમાં, બાળકોને રસી આપવાની નીતિ પણ સ્પષ્ટ નથી. તેમણે સરકારોને પણ સૂચના આપી હતી કે તેઓએ શાળાઓ ખોલવા અંગે ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જોઈએ. કારણ કે બાળકોને ચેપ લાગવાનું જોખમ રહેલું છે. જો સાવચેતી ન રાખવામાં આવે તો ચેપ ફેલાઈ શકે છે.