પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સમાં 107 વર્ષના ઓર્ગેનિક ફાર્મરને મળીને તેમના આશીર્વાદ લીધાં હતા.
પીએમ મોદીએ કર્યો ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનો પ્રારંભ
ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ પીએમ મોદી મળ્યાં 107 વર્ષના ઓર્ગેનિક ફાર્મરને
દાદીમાની શાલ સ્વીકારી, પગે પડીને લીધા આર્શીવાદ
પ્રધાનમંત્રી મોદીએ આજે ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ 107 વર્ષના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ઓર્ગેનિક ફાર્મર Pappammalને મળ્યાં હતા. પીએમ મોદી તેમને પગે પડીને આશીર્વાદ લીધા હતા અને દાદીમાની શાલ પણ સ્વીકારી હતી.
The 107-year-old organic farmer, Padma Shri Pappammal blessing PM @narendramodi at the Global Millets Conference!
મોટા અનાજ ખેડૂતો જ નહીં, દુનિયા માટે વરદાનરૂપ
મિલેટ્સ ખેડૂતો જ નહીં, દુનિયા માટે વરદાનરૂપ છે તેમ જણાવતાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ શનિવારે સવારે ભારતીય કૃષિ સંશોધન કેન્દ્ર (આઈએઆરઆઈ) કેમ્પસમાં ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ બાયર-સેલર મીટ અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં 100થી વધુ દેસોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ (શ્રી અન્ન)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રકારના આયોજન માત્ર ગ્લોબલ ગૂડ માટે જરૂરી નથી, પરંતુ ગ્લોબલ ગુડમાં ભારતની વધતી જવાબદારીનું પણ પ્રતીક છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ ભારત માટે ખૂબ જ મહત્વની છે. ભારત 2023માં જી20નું યજમાન છે ત્યારે સરકારે બરછટ અનાજને જી20 બેઠકોનો પણ એક ભાગ બનાવ્યું છે. ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (આઈવાઈએમ) 2023 પર એક ડાક ટિકિટ અને સિક્કા જારી કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે, ભારતની દરખાસ્ત અને પ્રયાસો પછી જ સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું. આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ઊજવી રહ્યું છે ત્યારે ભારત આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. વૈશ્વિક મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતના 75 લાખથી વધુ ખેડૂતો આજે વર્ચ્યુઅલી આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે.