ભારતમાં ગાયને માતા માનવામાં આવે છે લોકો ગાયોની પૂજા કરે છે અને કતલખાનાનો સખ્ત વિરોધ કરે છે પણ શું તમને ખબર છે કે એક દેશ એવો પણ છે જ્યાં બીમારી દુર કરવા માટે ગાયોનું કતલ કરવાની યોજના બનાવવામાં આવી છે.
આ દેશ છે ન્યૂઝીલેન્ડ જ્યાં આશરે 1 50 000 ગાયોની કતલની યોજના બનાવી છે. ગાયમાંથી થતાં બેક્ટેરિયાને કારણે અનેક બીમારી થઇ રહી હોવાનું તેનું માનવું છે. તેથી તેનો અંત લાવવા આ પગલું ભરાશે. રાજકારણીઓ અને ઉદ્યોગ જગતના માંધાતાઓએ સોમવારે આ મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું છે કે તેનાથી લાખો ડોલર ખર્ચાશે અને જો તે સફળ થશે તો પહેલી વખત એવું થશે કે એક ચેપગ્રસ્ત દેશમાંથી માઇકોપ્લાઝ્મા બોવિસ નાબૂદ થશે.ન્યૂઝીલેન્ડમાં અર્થતંત્રની કરોડરજ્જુ ખેતી છે. ગત જુલાઇમાં માઇકોપ્લાઝ્મા બોવિસ પહેલી વખત દેશમાં જોવા મળ્યો હતો. યૂરોપ અને અમેરિકામાં જોવા મળતા આ બેક્ટેરિયાને કારણે ગાયો ન્યૂમોનિયા મેસ્ટિટિસ આર્થરાઇટિસ અને અન્ય બીમારીઓ વિકસાવી શકે છે.
જોકે અન્ન સલામતી માટે ખતરો નથી પરંતુ તેનાથી ખેતીને ભારે નુકસાન થાય છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તેમણે જ્યાં પણ બેક્ટેરિયા મળે ત્યાંના ખેતરોમાં ગાયોની કતલ કરી દેવાની રહેશે. જાનવરો હેલ્થી હોય તો પણ તેમની કતલ કરાશે. જોકે મોટાભાગની ગાયોની કતલ પ્રોસેસિંગ પ્લાન્ટોમાં કરાશે. પરંતુ કેટલાક ગાયોની કતલ કરીને ખેતરોમાં દાટી દેવાશે અથવા માન્ય સ્થળોએ તેનો નિકાલ કરાશે.