નારાજગી / ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ એવા સંકેત આપ્યા કે સરકાર ટેન્શનમાં મૂકાઇ

Thasra BJP Former MLA Ramsinh Parmar indisposed

અમૂલ અને ફેડરેશનના ચેરમેન અને ઠાસરાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર ભાજપની નેતાગીરીથી નારાજ હોવાનો સુર વહેતો થયો છે. તે વચ્ચે આજે અંઘાડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાત મહુર્ત પ્રસંગે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ પંચમહાલના સાંસદની હાજરીમાં જનસભાને સંબોધતા તેઓએ રાજકીય નિવૃત થતા હોવાનો ઈશારો કરતા ચરોતરના રાજકારણમાં હડકંપ મચી છે. રાજકીય પંડિતો અને કાર્યકરોમાં રામસિંહના આ વક્તવ્યને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ