અમૂલ અને ફેડરેશનના ચેરમેન અને ઠાસરાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર ભાજપની નેતાગીરીથી નારાજ હોવાનો સુર વહેતો થયો છે. તે વચ્ચે આજે અંઘાડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાત મહુર્ત પ્રસંગે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ પંચમહાલના સાંસદની હાજરીમાં જનસભાને સંબોધતા તેઓએ રાજકીય નિવૃત થતા હોવાનો ઈશારો કરતા ચરોતરના રાજકારણમાં હડકંપ મચી છે. રાજકીય પંડિતો અને કાર્યકરોમાં રામસિંહના આ વક્તવ્યને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
રામસિંહ પરમાર નારાજ
સરકાર અને સંગઠનથી નારાજગી
નિવૃતિના આપ્યા સંકેત
1977થી ચરોતરની સહકારી સંસ્થાઓ અમુલ ડેરી અને ઠાસરા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એક હથ્થુ રાજ કરનાર રામસિંહ પરમાર ભાજપમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જોડાયા હતા પણ ચૂંટણી હારી ગયા હતા. ત્યારથી ફેડરેશનની ચૂંટણીમાં બિનહરીફ રામસિંહ પરમાર ચેરમન બન્યા હતા. ત્યાર બાદ કરતાં સંગઠનમાં ડાકોર નગરપાલિકામાં તેમના કાર્યકરોની બાદબાકી સાથે તેમની સાથે કોંગ્રેસમાંથી આવેલ સી.કે. રાઉલજીને પણ મંત્રી બનાવવા માટે માંગણી કરતા આવ્યા પણ તેમાં પણ મંત્રી બનાવતા નથી એવા કેટલાય માંગણીઓને લઈ સંગઠન અને રાજ્ય સરકાર અસંતોષ હોવાથી આજે નિવૃત્તિનો ઈશારો કરતા ચરોતરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.
રામસિંહ પરમાર હાલમાં આવેલ એપીએમસી ડાકોર સેવાલીયા અને ઠાસરાની ચૂંટણીને લઈ ભાજપના હોદેદારો વિરુદ્ધ પોતાના ઉમેદવારો જ ઉતારવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં ભાજપના જ કેટલાક નેતાઓ પોતાની તાકાત પણ વાપરી રહ્યા છે. આજના નિવૃત્તિના નિવેદને ભાજપથી દુરી બનાવી આગળના સમયમાં અમુલમાં પણ ભાજપને બદલે પોતાના જ વિશ્વાસુ ઉમેદવારો જ ઉતારવાના પણ ખુલાસા રૂપે જોઈ શકાય છે. આજના નિવેદનને લઈ ચરોતરના સહકારી અને સરકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.