થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની સાકરતુલા કરવામાં આવી છે. થરાદ પોલીસ મથકમાં આવેલી બાલાશહીદની દરગાહમાં સાંકરતુલા કરવામાં આવી હતી. થરાદની પેટાચૂંટણીમાં વિજય થાય તે માટે મુસ્લિમ યુવકે માનતા રાખી હતી. પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતનો વિજય થતાં સાકરતુલા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો અને હિન્દુ આગેવાનોની ઉપસ્થિતમાં સાકારતુલા કરવામાં આવી હતી.