બનાસકાંઠાના થરાદમાં ખાનપુર નજીક ભેખડ ધસી પડતાં બે યુવકો નીચે દટાઈ ગયા હતા. આ બંને યુવકો અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનનું ફિટિંગ કરતા હતા, ત્યારે ભેખડ ઘસી પડતાં બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે મૃતદેહોને બે કલાકની જહેમત બાદ બહાર કઢાયા હતા.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, થરાદના નાગલા માઈનોર કેનાલના ખોદકામ સમયે ભેખડ ધસી પડતાં બન્ને યુવક દટાયા હતા. જ્યારે બંનેના મોત થતાં ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતક બન્ને યુવક વાવના કાણોઠી ગામના રહેવાસી છે.