પાકિસ્તાન સામે સ્ટાર વિકેટ કિપર અને બેસ્ટમેન દિનેશ કાર્તિક મોટી ઇનિંગ રમી શક્યો નહી, તણે રવિચંદ્રન અશ્વિનનો માન્યો આભાર
દિનેશ કાર્તિકે માન્યો અશ્વિનનો આભાર
27 ઓક્ટોબરે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
પાકિસ્તાન સામે ભારતની દમદાર થઈ હતી જીત
ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 4 વિકેટે પરાજય આપ્યો હતો. હવે ભારત અને નેધરલેન્ડ વચ્ચે 27 ઓક્ટોબરે સિડનીના ગ્રાઉન્ડ પર મેચ રમાશે. તે માટે ટીમ ઈન્ડિયા સિડની પહોંચી ગઈ છે. જે પર BCCIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિનનો આભાર માનતો જોવા મળ્યો છે. જુઓ આ વીડિયો...
કાર્તિકે આભાર માન્યો
ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. ત્યારે મોહમ્મદ નવાઝની પાંચમી બોલ પર દિનેશ કાર્તિક સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. જ્યારે દિનેશ કાર્તિકને ફિનિશર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે ફિનિશર તરીકેનું કામ સારી રીતે કરી શક્યો નહી. તે આઉટ થયા બાદ રવિચંદ્ર અશ્વિને વિનિંગ રન લઈને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ બાબતે દિનેશ કાર્તિકે રવિચંદ્રન અશ્વિનનો આભાર માન્યો હતો.
પાકિસ્તાન સામે દમદાર જીત
ભારતીય ટીમે પાકિસ્તાન સામે ધમાકેદાર સ્ટાઈલમાં જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 82 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાની બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. ચોક્કા અને છક્કા મારવા બહુ જુજ આપ્યા હતા. અર્શદીપ સિંહે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ લીધી હતી.
IPLમાં બતાવી હતી તાકાત
IPL 2022માં દિનેશ કાર્તિકે અદભૂત રમ્યો હતો અને તેણે તેના દમ પર RCBની ટીમને ઘણી મેચો જીતાડી હતી. આ પછી તેણે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી અને કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડેનો વિશ્વાસ જીત્યો છે. કાર્તિકે વર્ષ 2007માં પ્રથમવાર T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.