પંજાબમાં સુરક્ષા ચૂક પર બોલતા PM મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ બઠિંડા એરપોર્ટ પરના અધિકારીઓને કહ્યું કે સીએમ ચન્નીને ધન્યવાદ કહેજો કે હું જીવતો પાછો આવ્યો.
પંજાબમાં સુરક્ષા ચૂક પર પ્રધાનમંત્રી મોદીનું મોટું નિવેદન
એરપોર્ટ અધિકારીઓને કહ્યું, CM ચન્નીને ધન્યવાદ કહેજો કે જીવતો પાછો આવ્યો
બઠિંડા પ્રદર્શકારીઓએ રોડ બ્લોક કરતા પ્રધાનમંત્રીને રેલી રદ કરવી પડી
પ્રધાનમંત્રીનો કાફલો ફ્લાયઓવર પર 20 મિનિટ અટવાયો હતો
પંજાબમાં સુરક્ષા ચૂકને કારણે ફિરોજપુરની રેલી રદ રાખ્યા બાદ પ્રધાનમંત્રી મોદીને બઠિંડા એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું. ફિરોજપુર જતી વખતે માર્ગમાં લોકો દ્વારા રોડ બ્લોક કરી નાખવામાં આવતા પ્રધાનમંત્રી મોદી અને તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું અને આખરે ફિરોજપુર જવાનું માંડી વાળવાનો નિર્ણય લેવાયો હતો. બઠિંડા એરપોર્ટ પર પરત આવ્યાં બાદ ત્યાં હાજર રહેલા અધિકારીઓને પીએમ મોદીએ ટોણો મારતો સવાલ કર્યો કે CM ચન્નીને ધન્યવાદ કહેજો કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પાછો આવ્યો.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક થતા ખળભળાટ મચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ ઘટનાને ગંભીર નોંધ લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. ગૃહમંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, પ્રધાનમંત્રી મોદી પંજાબના બઠિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો પહોંચ્યો ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને SPG હરકતમાં આવી ગઈ હતી અને લગભગ પ્રધાનમંત્રી મોદી તથા તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.
Security breach in PM Narendra Modi's convoy near Punjab's Hussainiwala in Ferozepur district. The PM's convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
પંજાબની કોંગ્રેસ સરકારને આઝાદીના ચળવૈયા માટે કોઈ સન્માન નથી-જેપી નડ્ડા
પીએમ મોદીની સુરક્ષામાં ચૂકની ઘટના બાદ પંજાબની ચન્ની સરકાર મુસીબતમાં ફસાઈ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સીએમ ચન્ન પર નિશાન સાધવાનું શરુ કર્યું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પોતાની નીચી હરકતોથી પંજાબની કોંગ્રેસ સરકારે સાબિત કર્યું છે કે તેઓ વિકાસ વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે તેમના મનમાં કોઈ સન્માન નથી.
PM મોદીની સુરક્ષા ચૂક દેશ સાથે દગો- MPના CM ચૌહાણ
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચોહાણે પણ જણાવ્યું કે PM મોદીની સુરક્ષામાં બેદરકારી કરીને દેશ સાથે દગો કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.