મુંબઈ: થાણેમાં એક ગોડાઉનમાં કોઈ કારણોસર ભારે આગ લાગી. આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ ઘટના મામલે મળતી વિગત અનુસાર થાણેમાં આવેલ એક ભંગારમાં ગોડાઉનમાં ગતરોજ અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર સતત પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
Mumbai: Fire broke out at a building in Andheri at 3 am today. 5 fire engines and 3 water tankers present at the spot. Firefighting operations underway. More details awaited. pic.twitter.com/QKboaf2OKd
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. ડિસેમ્બર મહિનામાં પણ મુંબઇ સ્થિત કમલા મિલ પરિસરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પણ મુંબઇમાં વિવિધ જગ્યાએ આગ લાગવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ગતરોજ ફરી એકવાર એક ભંગારના ગોડઉનમાં આગ લાગવાનો બનાવ બનતા સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા.
Thane: Fire breaks out in a godown at Khan compound in Mumbra's Shil Phata. Two fire tenders present at the spot. More details awaited. #Maharashtrapic.twitter.com/CTSJPsdEaa
આપને જણાવી દઇએ કે ભંગારના ગોડાઉનમાં લાગેલ આગનું કારણ જાણવા મળી શક્યું નથી પરંતુ ગોડાઉનમાં પડેલ તમામ માલ બળીને ખાખ થઇ ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે બનાવ અંગેની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.