અલ્પેશ ઠાકોરનાં રાજીનામાંને લઇને છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આખરે ગઇ કાલે અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણામાં અલ્પેશ ઠાકોરના વિરૂદ્ધમાં ઠાકોર સેના દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મહેસાણામાં અલ્પેશ ઠાકોરના વિરૂદ્ધમાં ઠાકોર સેના દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. આજે સાંજે મહેસાણાના ઉમંગ પાર્ટી પ્લોટમાં ઠાકોર સેના દ્વારા બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠક બાદ અલ્પેશ ઠાકોરના વિરોધના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવશે. આ મામલે મહેસાણા ઠાકોર સેના પ્રમુખ રામજી ઠાકોરે નિવેદન આપ્યુ છે કે, કોંગ્રેસ છોડવાનો નિર્ણય અલ્પેશે જાતે જ કર્યો છે. અલ્પેશે કોંગ્રેસ છોડવા માટે કોર કમિટીને પુછ્યુ જ નથી.
તો અલ્પેશના રાજીનામાં અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે VTV સાથે વાતચીત કરી હતી. જેમાં ગેનીબેને પોતે કોંગ્રેસમાં રહીને કામ કરવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના જવાતી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. બનાસકાંઠાને કોંગ્રેસે ઘણું આપ્યું છે. અલ્પેશ ઠાકોરને મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપ્યું છે. તેમ છતાં તેમને શું ઓછું પડ્યું તે ખ્યાલ નથી.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરને ઠાકોર સેનાનાં જ આગેવાનોએ અલ્ટીમેટમ આપ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં જ કોંગ્રેસનાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું.