અમદાવાદઃ ગુજરાત ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ અનામત પર નિવેદન આપ્યું છે.
શંકરસિંહે કહ્યું કે ઠાકોર સમાજના આગેવાનોએ સામાજીક ચિંતા માટે બોલાવ્યો હતો. અનામતની હરીફાઈ ન હોવી જોઈએ. સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજ અને કોળી સમાજની છે. OBCમાં ધીમે-ધીમે બધા ઉમેરાયા જેથી જરૂરિયાતવાળા વંચિત રહ્યાં હતા. ભારત સરકારે અનામત અને બિન અનામત બોર્ડ બનાવ્યુ છે.
મગફળી કૌભાંડ પર શંકરસિંહે કહ્યું કે મગફળી કૌભાંડ મિલીભગતથી થતાં ખેડૂતો પરેશાન છે. ભેળસેળનો કાયદો છે તે અહીં પણ લાગુ કરાવો. સરકારે કડક રહેવુ જોઈએ.