થાઈલેન્ડ પોલીસે એક ઢોંગી બાબાની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો છે. ઢોંગી બાબાના આશ્રમમાંથી 11 લાશ નીકળતા ચકચાર મચી છે.
થાઈલેન્ડ પોલીસે ગંદાબાબાની કરી ધરપકડ
ઢોંગી બાબાના આશ્રમમાંથી નીકળી 11 લાશ
ભક્તોને પ્રસાદમાં આપતા હતા પોતાના મળમૂત્ર
અંધશ્રદ્ધાની પણ એક હદ હોય છે પરંતુ અંધશ્રદ્ધાને નામે થાઈલેન્ડના કેટલાક લોકોએ જે કર્યું તે જાણીને ખરેખર ચીતરી ચડી આવશે. માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ દંભી બાબાઓની ભરમાર છે. આવો જ એક કિસ્સો થાઈલેન્ડથી સામે આવ્યો છે, જ્યાં પોલીસે એક ઢોંગી બાબાની ધરપકડ કરી છે. ઢોંગીની સાથે સાથે આ બાબો પણ ગંદો પણ નીકળ્યો, તે તેના ભક્તોને પોતાનો મળમૂત્ર ખવડાવતો અને તેમની બીમારી મટાડવાનો દાવો કરતો હતો. આ બાબા પર આરોપ છે કે તેઓ પોતાના અનુયાયીઓને મળ-મૂત્રનો પ્રસાદ આપતા હતા અને લોકો તે હોંશેહોંશે ખાતા હતા. બાબાએ ગાઢ જંગલની વચ્ચે પોતાનો આશ્રમ સ્થાપિત કર્યો હતો અને તે તેના ગોરખધંધા ચલાવતો હતો. મહિલાઓ પર તે અત્યાચાર કરતો હોવાનું પણ જણાવાયું છે.
બાબાના આશ્રમમાંથી નીકળી 11 લાશ
પોલીસે આશ્રમની જડતી લીધી હતી તેમાં 11 લાશ મળી આવતા ચકચાર મચી છે. 11 લાશ કોની અને તેમની હત્યા થઈ છે કે શું તે અંગે હવે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે જણાવ્યું કે તેમને પરિસરમાં 11 લાશ મળી હતી અને સ્થાનિક મીડિયાએ કહ્યું હતું કે તેઓ તેના અનુયાયીઓના મૃતદેહો હોવાનું માનવામાં આવે છે.પ્રાંતીય ગવર્નર ક્રાઇસોર્ન કોંગચલાડે જણાવ્યું હતું કે થવીના ઓછામાં ઓછા એક ડઝન અનુયાયીઓ તેમની સાથે રહે છે. પોલીસને કોફીનમાં વીંટળાયેલી લાશો મળી આવી હતી.
થાઈલેન્ડના ચિયાપુરમની ઘટના, બાબાનું નામ થાવી નાનરા
આ ઘટના થાઈલેન્ડના ચિયાપુરમની છે. આ બાબાનું નામ થાવી નાનરા છે અને તેમની ઉંમર 75 વર્ષ છે. આ ઢોંગી બાબા વિશે દાવો કરવામાં આવે છે કે બાબા પ્રસાદ તરીકે તેમના અનુયાયીઓ પેશાબ તથા મળમૂત્ર આપતા હતા. કારણ કે અનુયાયીઓને એવું લાગતું હતું કે મળ ખાવાથી અને પેશાબ પીવાથી તેઓ બીમારીઓથી બચી જશે.રિપોર્ટ મુજબ પોલીસને માહિતી મળી હતી કે, થાવી નાનરાએ લોકોની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. સાથે જ બાબા દ્વારા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત એક મહિલા ગુમ થયાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે મહિલા બાબા પાસે ગઈ હતી અને પરત આવી ન હતી.