સુરતમાં કોરોનાના કારણે ટેક્સટાઈલ અને હીરા કારખાનાઓ સપ્તાહમાં બે દિવસ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રના ધમપછાડા
હવે હીરા બજાર પણ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય
ટેક્સટાઇલ માર્કેટ બાદ હવે હીરા બજાર પણ બંધ રખાશે
સુરતમાં શનિ-રવિ ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોનાના કેસ વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. મોલ-થિયેટર પછી હવે ટેક્સટાઈલ માર્કેટ પણ શનિ-રવિ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રોજ સાંજે 7 વાગ્યે ટેક્સટાઈલ માર્કેટ બંધ કરવાનો આદેશ કર્યો છે.શનિ-રવિ ટેક્સટાઈલ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર એક પછી એક નિર્ણયો કરી રહ્યો છે. જેમાં ટેક્સટાઈલ માર્કેટ પછી હીરા બજાર પણ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રવિવારે અને સોમવારે હીરા કારખાનાઓ સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરાયો છે. હીરા બજાર અને હીરા ઘસવાના કારખાના રવિ-સોમ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરત મેયર, મનપા કમિશ્નર અને હીરા ઉદ્યોગના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો હતો.
સુરત શહેરમાં શું લેવાયા મોટા નિર્ણય?
સુરતમાં 19 માર્ચથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.
સુરતમાં દર શનિવાર અને રવિવારના દિવસોમાં તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
સુરતમાં ટેક્સટાઇલ માર્કે બાદ હવે હીરા બજાર પણ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
હીરા બજાર રવિવારે અને સોમવારે હીરા કારખાનાઓ સંપૂર્ણ બંધ રહેશે.
સુરતમાં તમામ ગાર્ડન, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે.
પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.
સુરતનું ગોપીતળાવ આગામી આદેશ સુધી સંપૂર્ણ બંધ કરાયું છે.
હોટલ/ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પાસેથી RT-PCRનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત.
સુરત શહેરમાં બહારથી આવતા લોકોએ સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે.
સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે.
મનપામાં શાળા-કોલેજો બંધ કરવા સરકારનો આદેશ, ઓનલાઇન શિક્ષણ અપાશે.
સુરત શહેરમાં 7 દિવસ માટે સીટી બસ અને BRTS બસ સેવા આજથી બંધ કરાઈ છે.
સુરતમાં કોરોના સંક્રમણ વધતા 94 ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે.
સુરત શહેરમાં ગઇકાલે 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે.