ભાવનગર પાલીતાણા ખાતે ધો. 1થી 8 સુધીના પુસ્તકો તળાજા રોડ પરના એક ભંગાર સ્ટોર પરથી મળતા વિવાદ, તંત્રએ તપાસ કરતા પુસ્તક બે ટર્મ પહેલાના હોવાનો ખુલાસો
પાલીતાણા ધોરણ 1થી 8 સુધીના પુસ્તકો મળ્યા ભંગારમાં
બીજી બાજુ વિદ્યાર્થીઓ પુસ્તકો માટે રઝળતા હોય છે
શાળાનું એક સત્ર પુર્ણ થઇ જાય પણ વિદ્યાર્થીઓને નથી મળતા પુસ્તકો
એક તરફ વિદ્યાર્થીઓ હાલ ઘણી જગ્યાએ પુસ્તકની વંચિત છે ત્યારે ભાવનગરના પાલિતાણાથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. પાલિતાણામાં ધોરણ 1થી 8 સુધીના પુસ્તકો ભંગારની દુકાનમાં જોવા મળ્યા. આ તમામ પુસ્તકો હાલના અભ્યાસક્રમના જ છે. ત્યારે સવાલ ઉઠે છે કે આ પુસ્તકોને કોણે અને કેવી રીતે વેંચ્યા. વીટીવીની ટીમે આ ઘટના મામલે શિક્ષણ અધિકારીઓ સંપર્ક કરીને કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હજુ સુધી કોઈ વિગતો શિક્ષણ અધિકારી પાસેથી નથી મળી શકી.