સરકારી કામકાજમાં કુછ ભી હો શકતા હૈ.. જેવી સ્થિતિ છે. ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળ ગોડાઉનમાંથી રૂા. 42 લાખના પુસ્તકોની ચોરી થઈ જતા ચકચાર મચી ગઈ હતી. ખુદ સરકારી ગોડાઉનમાંથી ચોપડા કેમના ચોરી થાય? આ મામલે ઘણા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે સ્ટોરમાં ઘટ પડી કે ચોરી થઈ?
8 નવેમ્બરે પુસ્તકો ગાયબ થયાની ફરિયાદ
1 માસ બાદ કરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી
3 અધિકારીઓ સામે લેખિત અરજીમાં શંકા વ્યક્ત કરાઈ
પુસ્તકોની ચોરી થઈ કે સ્ટોરમાં ઘટ? તે સવાલ ઉપસ્થિત
ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળની એક ગોલમાલ સામે આવવાની શક્યતા છે. હાલ પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી રૂા. 42 લાખના પુસ્તકો ચોરી થઈ જવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવવામાં આવી છે. ત્યારે ખરેખર થાય કે આવી રીતે કોઈ લાખોના પુસ્તકો કેમ ચોરી જાય? અને એ પણ સરકારી પુસ્તકો?
ગાંધીનગર સેક્ટર 21માં થી પોલીસ અરજી
પાઠ્યપુસ્તર મંડળના ગોડાઉનમાંથી રૂ. 42 લાખના પુસ્તકો ગાયબ, સેક્ટર 21 પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. પુસ્તકો ગાયબ થયાના એક મહિના પછી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
એક મહિના બાદ કેમ કરાઈ પોલીસમાં જાણ
8 નવેમ્બરના રોજ પુસ્તકો ગાયબ થયાના એક માસ બાદ પોલીસ અરજી કરવામાં આવી છે જેને પગલે પાઠ્યપુસ્તક મંડળ ખુદ શંકાના ઘેરામાં આવી જાય છે. જો પુસ્તકો 8મી નવેમ્બરે ગુમ થયા હતા તો ફરિયાદ છેક ડિસેમ્બરમાં કેમ કરવામાં આવી?
3 અધિકારીઓ સામે શંકા
3 અધિકારીઓ સામે લેખિત અરજીમાં શંકા વ્યક્ત કરાઈ, પુસ્તકોની ચોરી થઈ કે સ્ટોરમાં ઘટ ? તે સવાલ ઉપસ્થિત થયો છે.