ટ્રિબ્યુનલમાં નિયુક્તીઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢીને તેને અલ્ટીમેટમ આપ્યું છે.
ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો મામલો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફરી વાર તતડાવી
ચીફ જસ્ટીસે કહ્યું, સરકાર કોર્ટના ચુકાદાનું સન્માન કરી રહી નથી
અમારી ધીરજની કસોટી ન કરો, સત્વરે ખાલી જગ્યાઓ ભરો-ચીફ જસ્ટીસ
છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તતડાવી રહી છે. વધુ એક પ્રસંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે.
અમારી ધીરજની કસોટી ન કરો- ચીફ જસ્ટીસ
ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી બેઠકો ભરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ જણાવ્યું કે સુપ્રીમ માટે સરકારને કોઈ આદર ભાવના ન હોવાનું લાગી રહ્યાં છે. તેમણે કહ્યું કે અમે સરકારને અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ કે અમારી ધીરજની કસોટી ન કરો. સુપ્રીમે ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી બેઠકો ભરવા સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
કેન્દ્ર સરકાર કોર્ટના નિર્ણયોનું સન્માન કરી રહી નથી
ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર કોર્ટના નિર્ણયોનું સન્માન કરી રહી નથી. તેમણે કહ્યું કે અમે અપસેટ છીએ પરંતુ કેન્દ્ર સરકાર સાથે કોઈ વિવાદમાં ઉતરવા માગતા નથી. ચીફ જસ્ટીસે એવું પણ કહ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો અપેલેટ જેવા મહત્વના ટ્રિબ્યુનલમાં ખાલી જગ્યાઓ ભરાતી નથી. ટ્રિબ્યુનલો ઈકોનોમી માટે પણ જરુરી છે.
ચીફ જસ્ટિસ સરકાર પર કેમ ભડક્યાં
છેલ્લા ઘણા સમયથી ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી જગ્યાઓ કેન્દ્ર સરકાર ભરતી નથી. અધુરામાં પુરુ કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટીસને જણાવ્યું કે બે મહિનામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો નિર્ણય નાણા મંત્રાલયે લઈ લીધો છે, મહેતાની આ વાત સાંભળીને ચીફ જસ્ટિસ ભડક્યાં અને કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપી દીધું.
ચીફ જસ્ટિસે કેન્દ્રના વકીલ મહેતાને 4 વિકલ્પા સૂચવ્યા
(1) ટ્રિબ્યુનલ રિફોર્મ એક્ટ પર સ્ટે
(2) ટ્રિબ્યુનલો બંધ કરી દઈએ
(3) ટ્રિબ્યુનલમાં અમારી મેળે નિયુક્તી કરી દઈ
(4) અમે કેન્દ્ર સરકારની સામે અવમાનની કાર્યવાહી શરુ કરીએ.