દેશમાં કોરોના વાયરસના કેસ સતત રેકોર્ડ તોડી રહ્યા છે અને કુલ આંક 40 લાખ પાર થઇ ગયો છે ત્યારે ICMR દ્વારા ટેસ્ટિંગને લઈને નિયમો બદલવામાં આવ્યા છે.
કોઈ રાજ્યની ઈચ્છા હોય તો બહારથી આવનારનો કોવિડ નેગેટિવ રિપોર્ટ માંગી શકે
દેશમાં કોઈ પણ વ્યક્તિને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની મંજૂરી
કન્ટેન્મેન્ટ ઝોનમાં કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો ટેસ્ટ કરવો જરૂરી
બીજા રાજ્યમાં જતી વખતે કરાવવો પડી શકે છે કોરોના ટેસ્ટ
કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ટેસ્ટિંગની રણનીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દેશમાં તબીબોની સલાહ પર જ ટેસ્ટ થઇ શકતા હતા પણ હવે કોઈ પણ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી શકશે. શુક્રવારે જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં ICMR દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ રાજ્યની પોતાના રાજ્યમાં આવી રહેલા બીજા રાજ્યના લોકોની કોવિડ નેગેટિવની રિપોર્ટ માંગી શકશે. આમ આ નિર્ણય જે તે રાજ્ય પોતાની ઈચ્છા અનુસાર લઇ શકે છે.જોકે હજુ સુધી કોઈ રાજ્યએ નિર્દેશ આપ્યા નથી.
ટેસ્ટિંગની રણનીતિમાં થયા ફેરફાર
ટેસ્ટિંગની રણનીતિને સફળ બનાવવા માટે ચાર શ્રેણીઓમાં શુક્રવારે જાહેર કરવામાં આવેલ સલાહમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોનમાં કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો ટેસ્ટ કરવો જરૂરી છે. કોઈનામાં લક્ષણ હોય કે ના હોય હવે કોઈ પણ વ્યક્તિ પોતે ટેસ્ટ કરાવી શકે છે. આ સાથે જ કહેવામાં આવ્યું કે જે લોકોએ છેલ્લા 14 દિવસમાં આંતરરાષ્ટ્રીય યાત્રા કરી હોય તેમાં જેમને લક્ષણ છે તે અને અન્ય લોકોના પણ ટેસ્ટ થશે.
RT-PCR ટેસ્ટ કોઈ પણ વ્યક્તિ કરાવી શકશે
ICMR એ દેશમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડને પરમિશન આપી છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવવા ઈચ્છે છે તો તે ટેસ્ટ કરાવી શકે છે. અત્યાર સુધી RT-PCRએ લોકો કરાવી શકતા હતા જેનામાં લક્ષણ જોવા મળતા હતા અથવા કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આ ટેસ્ટ સૌથી વધારે વિશ્વસનીય માનવામાં આવે છે.