ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલીયા બંને સોમવારે જ અમદાવાદ પંહોચી ગઈ હતી. રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં ઉતરી છે તો ઓસ્ટ્રેલીયાની ટીમને તાજ સ્કાઈલાઇનમાં ઉતારો આપવામાં આવ્યો છે.
ચોથી ટેસ્ટ મેચ માટે બંને ટીમ અમદાવાદ પંહોચી ગઈ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમજ ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી પણ પંહોચશે મેચ જોવા
3100 પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્ત માટે તૈનાત
અત્યાર સુધીની ત્રણેય ટેસ્ટ મેચોના પરિણામ માત્ર ત્રણ દિવસમાં આવી ગયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન સીરિઝની છેલ્લી મેચ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. જણાવી દઈએ કે ઈન્દોર ટેસ્ટમાં 9 વિકેટથી કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં સીધી જગ્યા બનાવવા માટે ચોથી ટેસ્ટ મેચ જીતવી પડશે. આ સાથે જ ઈન્દોરમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી હતી.
Australia win the Third Test by 9 wickets. #TeamIndia 🇮🇳 will aim to bounce back in the fourth and final #INDvAUS Test at the Narendra Modi Stadium in Ahmedabad 👍🏻👍🏻
બંને ટીમ અમદાવાદ પંહોચી ગઈ છે
નોંધનીય છે કે આ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. એવામાં આ મેચને લઈને અમદાવાદમાં પણ જોર-શોર તૈયારીઓ ચાલી રહી છે છે. જણાવી દઈએ કે ચોથી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલીયા બંને સોમવારે જ અમદાવાદ પંહોચી ગઈ હતી. રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં ઉતરી છે તો ઓસ્ટ્રેલીયાની ટીમને તાજ સ્કાઈલાઇનમાં ઉતારો આપવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી પંહોચશે મેચ જોવા
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલીયા સામેની આ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમજ ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે. આ માટે અત્યારથી પોલીસ બંદોબસ્તની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
3100 પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્ત માટે તૈનાત
9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહેલ આ સીરિઝની ચોથી ટેસ્ટ મેચના બંદોબસ્ત માટે અમદાવાદની પોલીસ ખડેપગે છે. મળતી જાણકારી અનુસાર જ્યાં ટીમને ઉતારો આપવામાં આવ્યો છે એ બંને હોટલ અને સ્ટેડિયમ માટે હાલ 3100 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ 9 માર્ચથી મેચ શરૂ થશે એ દિવસે ટ્રાફિક પોલીસ સહિત 5000 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવશે.
2300 ટ્રાફિક પોલીસ બંદોબસ્ત માટે ગોઠવાશે
આ સાથે જ તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહેલ આ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને શહેરમાં 2300 જેટલા ટ્રાફિક પોલીસને ગોઠવવામાં આવશે. મળતી જાણકારી અનુસાર આ બંદોબસ્તમાં 1 સંયુક્ત પોલીસ કમિશનર, 3 ડીસીપી, 9 એસપી, 20 પીઆઇ, 21 પીએસઆઇ અને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ સહિત ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેશે. નોંધનીય છે કે મેચ જોવા આવતા લોકો માટે સ્ટેડિયમની પાસે જ પાર્કિંગ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો છે ત્યાં પણ ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.
સ્ટેડિયમમાં અંદર જવા થ્રી-લેયર સિક્યોરીટી ગોઠવાઈ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમજ ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી મેચ જોવા આવવાના છે એટલે એ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે પણ થ્રી-લેયર સિક્યોરીટી ગોઠવવામાં આવી છે. મળતી જાણકારી મુજબ ગેટ નં-1 પર વીવીઆઈપીને એન્ટ્રી મળશે તો ગેટ નં-2 પરથી દર્શકોને એન્ટ્રી મળશે. આ સાથે જ સ્ટેડિયમની અંદર પાણીની બોટલ સહિત કોઈ પણ બહારની વસ્તુ અંદર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.