જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં મોટો આતંકવાદી હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની ગોળીઓ મારીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને અંજામ આપીને આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.
જે અંગે અધિકારીઓએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, બંદૂકધારી ચદૂરા વિસ્તારમાં આવેલ તહસીલ કાર્યાલયમાં ઘૂસ્યા અને સરકારી કર્મચારી રાહુલ ભટ્ટને ગોળી મારી દીધી હતી. જેને લઇને તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, ઇજાગ્રસ્ત રાહુલ ભટ્ટને હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. હુમલાનો શિકાર બનેલા રાહુલ ભટ્ટ કાશ્મીરી પંડિત હતા.
The injured was immediately brought to SMHS Hospital, Srinagar for treatment where he succumbed to his injuries. Preliminary investigation reveals that 2 terrorists are involved in this heinous crime & have used pistol for committing this crime: J&K Police
કાશ્મીર ટાઇગર નામના આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી છે. આતંકવાદી સંગઠને ઘટનાને અંજામ આપ્યા બાદ મેસેજ બણ જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે, આજે બડગામના ચદૂરામાં હિન્દુ આતંકીની હત્યાની જવાબદારી કાશ્મીર ટાઇગર જવાબદારી લે છે. અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે હિન્દુ ઓફિસોમાં જે પણ મુસ્લિમોને હેરાન કરશે, તેનો આ જ અંજામ આપશે. જો ભવિષ્યમાં કોઈએ મુસ્લિમોને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો તેનું પણ આ જ પરિણામ ભોગવવું પડશે.
ઘટના બાદ આખા વિસ્તારને ખાલી કરાવાયો
પોલીસ અને સેનાએ આતંકવાદીઓની ધરપકડ માટે સર્ચ ઓપરેશન છેડી દેવાયો છે. આતંકવાદી ઘટના બાદ આખા વિસ્તારને ખાલી કરાવાયો છે.