જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPF ના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં સાત લોકો ઘાયલ થયા હતા.
પુલવામાના ત્રાલમાં આતંકીઓએ CRPF ના વાહન પર ગ્રેનેડ ફેંક્યો
હુમલામાં જવાનોને જાનહાની નહીં, સાત લોકો ઘાયલ થયા
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા
પુલવામાના ત્રાલ ચોક વિસ્તારમાં રવિવારે આતંકીઓએ CRPF ના એક વાહન પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો.
As per reports, a grenade has been hurled by terrorists at main bus stand in Tral, Pulwama which exploded in the air causing minor injuries to 6-7 civilians. The injured have been given first aid at a hospital. The area has been cordoned off & a search is underway: CRPF sources
હુમલામાં સીઆરપીએફના જવાનોને કોઈ જાનહાની થઈ નથી પરંતુ સાત નાગરિકો ઘાયલ થયા હોવાની ખબર છે. સાત ઘાયલ નાગરિકોને ત્રાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
Jammu & Kashmir: Seven civilians sustain minor injuries as terrorists hurl grenade at CRPF naka party at bus stand in Pulwama's Tral, says CRPF pic.twitter.com/XVEIXZ5yfY
મીડિયા રિપોર્ટ અનુસાર, ત્રાલના મેઈન બસ સ્ટેન્ડ પર આતંકીઓએ ભારે તીવ્રતાવાળો એક ગ્રેનેડ ફેંક્યો હતો જેને ફાટતા 7 નાગરિકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ગ્રેનેડ હુમલા બાદ આ વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી તથા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં મનયાલ વિસ્તારમા એક આતંકીનું ઠેકાણું નષ્ટ કરી નાખ્યું હતું. આતંકી પાસેથી એક-47 રાઈફલ તથા બીજું કેટલું વાંધાજનક સાહિત્ય મળ્યું હતું.